Site icon Revoi.in

નૌસેનાની તાકાત થશે બમણીઃ દેશનું પ્રથમ પરમાણુ મિસાઈલ  ટ્રેકિંગ જહાજ ‘આઈએનએસ ઘ્રુવ’ આજે થશે લોંચ- જાણો તેની ખાસિયતો

Social Share

દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો સફળ થઈ રહેલા જોવા મળી રહ્યા છે.ત્યારે હવે આજરોજ ભારતને એક વધુ શક્તિશાળી હથિયાર મળવા જઈ રહ્યા છે, જે બાદ દરિયામાં ભારતની તાકાત બમણી થતી જોવા મળશે. દુશ્મન પરમાણુ મિસાઇલોને ટ્રેક કરવા માટે ભારતનું પહેલું જહાજ INS ‘ધ્રુવ’ આજે લોન્ચ થવા જઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે  આ પહેલું ભારતીય જહાજ છે જે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરી શકે છે. ત્યાર બાદ ભારતીય નૌકાદળ દરિયામાં ચીન અને પાકિસ્તાનની દરેક ક્રિયાને પહેલા કરતાં વધુ તાકાત સાથે યોગ્ય જવાબ આપવા સક્ષમ બનશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના હસ્તે તેને વિશાખાપટ્ટનમાં લોન્ચ કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન ભારતીય નૌકાદળ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન , અને રાષ્ટ્રીય તકનીકી સંશોધન સંગઠનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, 10 હજાર ટનનું આ ખતરનાક જહાજ ભારતની ભવિષ્યની એન્ટી બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાના કેન્દ્રમાં હશે, કારણ કે તે ભારતીય શહેરો અને લશ્કરી સ્થાપનોની નજીક આવતા દુશ્મન મિસાઇલો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે કામ કરશે અને તે હુમલાનો સામનો કરશે. હુમલાને નિષઅફળ કરવાની પણ ક્ષમતા ધરાવે છે, એટલું જ નહીં, આ જહાજ હિંદ મહાસાગરમાં ભારતના દરિયાઈ સંરક્ષણ વર્તુળને મજબૂત બનાવશે  સૌથી મહત્વની બાબત એ છે કે તે એવા સમયે લોન્ચ કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં પાણીની અંદર સશસ્ત્ર અને સર્વેલન્સ ડ્રોનનો યુગ શરૂ થયો છે.

જાણો આ ખાસ જહાજની ખાસિયતો