Site icon Revoi.in

ગાય સોનાની ચેન ગળી ગઈ, 35 દિવસ બાદ પણ છાણમાંથી ચેન ન નીકળતા આ પરિવારે કર્યું કંઈક આવું

Social Share

 

કર્ણાટક રાજ્યમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, વાત જાણે એમ છે કે અહી એક ગાય 2 તોલાની સોનાની ચેન ગળી ગઈ હતી,અને તે તેના પેટમાં એક મહિનાથી વધુ સમય સુધી રહી. આ બધું ત્યારે થયું જ્યારે એક પરિવારે ગા.ની પૂજા કરતા વખતે ગાયને ચેન અને અન્ય ઘરેણાં પહેરાવ્યા હતા. આ દરમિયાન ગાયે સોનાની ચેન ગળાની અંદર ઉતારી દીધી હતી. પછી કંઈક એવું બન્યું કે કોઈ ધાર્યું પણ નહોતું. આખો પરિવાર એક મહિના સુધી ગાયના છાણને તપાસતો રહ્યો અને ચેન નીકળી કે નહી તેની રાહ જોતો રહ્યો

આ ઘટના કર્ણાટકના સિરસી સ્થળની છે. ‘ધ ટ્રિબ્યુન’ના ઓનલાઈન રિપોર્ટ મૂજબ, આ વ્યક્તિનું નામ શ્રીકાંત હેગડે છે. દિવાળી પછી, વ્યક્તિના પરિવારના સભ્યોએ ગૌ પૂજામાં ગાય અને તેના વાછરડાને સ્નાન કરાવ્યું અને તેમને ફૂલો અને આભૂષણોથી શણગાર્યા હતા. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તે જગ્યાએ એક રિવાજ છે અને ત્યાંના લોકો ગાયને લક્ષ્મી તરીકે પૂજે છે.

આ પૂજા દરમિયાન ગાય તેને પહેરાવેલી  સોનાની ચેન ગળી ગઈ હતી. આ અંગે પરિવારજનોને જાણ થતાં હોબાળો મચી ગયો હતો. પરિવાર પાસે કોઈ વિકલ્પ નહોતો, તેથી બધાએ લગભગ 35 દિવસ સુધી ગાયના છાણ પર નજર રાખી. તેઓ તપાસ કરતા રહ્યા કે ગાયના છાણમાંથી ચેન નીકળે છે કે નહી આટલા સમય દરમિયાન ન તો ગા.ને ક્યાય જવા દીધી ન તો તેઓ એ ગાય પરથી નજર હટાવી.આ પછી શ્રીકાંતે ડોક્ટરને બોલાવીને સલાહ લીધી.

ત્યાર બાદ આ ગાયને દવાખાને લઈ જઈ તપાસ કરવામાં આવી કે ગાય ખરેખર ચેન ગળી ગઈ છે કે કેમ તો ખબર પડી કે ચેન હજી પણ ગાયના પેટમાં જ છે. આ પછી ડોક્ટરોની ટીમે ગાયના પેટનું ઓપરેશન કરીને ચેન બહાર કાઢી. જોકે ચેન હટાવ્યા બાદ તેનું વજન વીસને બદલે માત્ર 18 ગ્રામ હતું.