Site icon Revoi.in

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 4.3ની નોંધાઈ

Social Share

ઈમ્ફાલ:  મણિપુરના ઉખરૂલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.૩ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી મુજબ, ભૂકંપ સવારે 6.56 વાગ્યે આવ્યો હતો. જો કે આમાં કોઈ નુકસાન થવાના સમાચાર નથી. હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે.

અગાઉ શનિવારે લદ્દાખમાં પણ સતત બીજા દિવસે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.6 ની રહી હતી. આ પહેલા શુક્રવારે સવારે 11.02 વાગ્યે લદ્દાખમાં 4.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

Exit mobile version