Site icon Revoi.in

ઈસરો એ લોંચ કર્યું મિશન સુર્ય ‘આદિત્ય એલ 1’ 125 દિવસનો હશે સફર- દેશવાસીઓની આતુરતાનો આવ્યો અંત

Social Share

દિલ્હીઃ- ચંદ્રયાન 3 ની સફળતા વિશ્વભરમાં પ્રસંશાને લાયક બની છે હવે આ સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર દ્રારા સુર્યમિશનને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ હતી અને આદિત્ય એલ 1ને આંઘ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતિષ ઘવન અંતરિક્ષ કેન્દ્ર થી 11 વાગ્યેને 50 મિનિટે લોંચ કરવામાં આવ્યું છે .આ પ્રસંગે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સ્પેસ સેન્ટરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ લોન્ચિંગના પ્રસંગે અનેક લોકો આ સુર્ય મિશનના સાક્ષી બન્યા છે.આ પ્રસંગે રિસર્ચ સેન્ટર ખાતે ઈસરોના પ્રમુખ સહીત અનેક વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શ્રી હરિકોટ સ્પેસ સેન્ટર બહાર મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.તાળીઓના ગડગડાટ સાથે આ મિશન લોંચ થયું હતું સૌ કોઈના ચહેરા પર ખૂબ જ આતુરતા અને ઉત્સાહ છવાયો હતો.

આ સહીત આદિત્ય L1′ એ સૌર કોરોનાના દૂરસ્થ અવલોકનો કરવા અને પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર ‘L1’ (સૂર્ય-અર્થ લેગ્રેન્જિયન પોઈન્ટ) પર સૌર પવનનું વાસ્તવિક નિરીક્ષણ કરવા માટે રચાયેલ છે.

ઉલ્લેખનીય છે કે આદિત્ય એલ1 લોંચનું કાઉનડાઉન વિતેલી રાત્રીથી જ શરુ થઈ ગયું હતું ત્યાર બાદ સૌ કોઈની નજર આ મિશન પર હતી વહેલી સવારથી જ હરિકોટા ખાતે લોકોની ભીડ ઉમટવાનુી શરુ થઈ હતી અનેક લોકો આ ક્ષણના સાક્ષી બનવા પહોંચ્યા હતા.

આદિત્ય-એલ1 મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ હવે દુનિયાની નજર આદિત્ય-એલ1 મિશન પર હતી. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ 1 (L1) પર મોકલવાનું છે.ભારતનું આદિત્ય L1 મિશન સૂર્યના અદ્રશ્ય કિરણો અને સૌર વિસ્ફોટોમાંથી મુક્ત થતી ઊર્જાનું રહસ્ય ઉકેલશે.
આદિત્ય L1 એ સૂર્યનો અભ્યાસ કરવાનું મિશન છે. આ સાથે ઈસરોએ તેને પ્રથમ અવકાશ-આધારિત ઓબ્ઝર્વેટરી શ્રેણી ભારતીય સૌર મિશન ગણાવ્યું છે. આ અવકાશયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રાંગિયન પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર  સ્થિત છે.ઉલ્લેખનીય છે કે આ દેશનું પ્રથમ સુ્રય મિશન હતું.