Site icon Revoi.in

ડેન્ગ્યુના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રીએ હોસ્પિટલો અને શાળાઓને આ વિશેષ સૂચનાઓ આપી

Social Share

દિલ્હી: રાજધાની દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીની હોસ્પિટલોને ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે આ અંગે પ્રોટોકોલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. એલએનજેપી હોસ્પિટલમાં સુવિધાઓના નિરીક્ષણ દરમિયાન મંત્રીએ એમ પણ કહ્યું કે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા સંચાલિત હોસ્પિટલોના તબીબી નિર્દેશકો અને અધિક્ષકોને દિવસ પછી ડેન્ગ્યુ અંગે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે.

ભારદ્વાજે ડેન્ગ્યુ અંગેની સૂચનાઓનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. “દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદ સામાન્ય કરતાં વહેલો શરૂ થયો. દિલ્હીમાં એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં વરસાદ પડ્યો. એવા સંકેતો છે કે વેક્ટર બોર્ન રોગો વધી રહ્યા છે અને ડેન્ગ્યુના કેસ પણ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું તમામ હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે. કોરોનાની જેમ  ડેન્ગ્યુ માટે પણ પ્રોટોકોલ તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અહેવાલ મુજબ દિલ્હીમાં ગયા અઠવાડિયે ડેન્ગ્યુના 56 નવા કેસ નોંધાયા હતા, જે કુલ કેસોની સંખ્યા 240 થી વધુ થઈ ગઈ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, 28 જુલાઈ સુધી આ સંખ્યા 243 હતી. મંત્રીએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓ માટે ફુલ-બાંયના કપડાંના ધોરણોનું પાલનની તપાસ માટે બુધવારે કેટલીક શાળાઓનું નિરીક્ષણ કરશે.

“તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા અને સંપૂર્ણપણે ઢાંકવા કહેવું. શાળાઓ સૂચનાઓનું પાલન કરી રહી નથી. આવતીકાલે (બુધવાર) હું જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે કેટલીક શાળાઓની ઓચિંતી મુલાકાત લઈશ. જ્યાં પણ ક્ષતિઓ હશે ત્યાં પગલાં લેવામાં આવશે.