Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન મેચને લઈને શ્રીનગરથી આવ્યા સમાચાર,આ કામ કરશો તો થશે સજા

Social Share

મુંબઈ : ભારત-પાકિસ્તાનને લઈને આજે પણ બંન્ને દેશોના લોકોમાં ગરમા ગરમીનો માહોલ જોવા મળતો હોય છે. ભારતના આજે પણ કેટલાક સ્થળો પર પાકિસ્તાન પ્રેમી લોકો જોવા મળતો હોય છે આવામાં શ્રીનગરથી મહત્વની સમાચાર આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, શ્રીનગર ખાતે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ મુજબ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ગ્રુપ બનાવીને આ મેચ જોઈ શકશે નહીં.

અહીંના વિદ્યાર્થીઓ આ મેચ સાથે સંબંધિત કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી શકશે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

NIT શ્રીનગરના ‘ડીન ઑફ સ્ટુડન્ટ્સ વેલ્ફેર’ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિદ્યાર્થીઓ માહિતગાર છે કે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિવિધ દેશો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને રમતગમતને રમત તરીકે લેવા અને સંસ્થા/છાત્રાલયમાં કોઈપણ પ્રકારની અનુશાસન ન રાખવાની સૂચના આપવામાં આવે છે.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે, રવિવારની મેચ દરમિયાન વિદ્યાર્થીઓએ ફાળવેલ રૂમમાં રહેવું પડશે. સાથે જે-તે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલા રુમ સિવાય તે રુમમાં અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશવાની અને જૂથમાં મેચ જોવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, “જો વિદ્યાર્થીઓનું જૂથ કોઈપણ રૂમમાં મેચ જોતા જોવા મળે છે, તો જે વિદ્યાર્થીઓને તે ચોક્કસ રૂમ ફાળવવામાં આવ્યો છે તેમને સંસ્થાની હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવશે અને સામેલ તમામ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા રૂ.5000 નો દંડ કરવામાં આવશે.