1. Home
  2. Tag "srinagar"

કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ, NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે

શ્રીનગર, 18 એપ્રિલ, 2026: કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આતંકી સમર્થકને જમ્મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીરના 1996ના એક કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની ધરપકડ કરી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ પ્રશાંત […]

શ્રીનગરઃ ટ્યૂલિપ ગાર્ડનની 1.69 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

નવી દિલ્હી, 31 માર્ચ 2026: શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો છે. છેલ્લા 14 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ બગીચાની મુલાકાત લીધી છે. 14મા દિવસની સાંજ સુધીમાં બગીચામાં મુલાકાતીઓની સંખ્યા 169,100 થઈ ગઈ છે, જે ખરાબ હવામાન અને વરસાદ છતાં ખૂબ જ પ્રોત્સાહક છે. સહાયક ફ્લોરીકલ્ચર ઓફિસર ઇમરાન અહેમદે જણાવ્યું હતું કે વરસાદ અને રમઝાન […]

જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં મળશે રાજ્યનો દરજ્જો: કેન્દ્રીય મંત્રી મેઘવાલ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી ફરી એકવાર હકારાત્મક સંકેત મળ્યા છે. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે ખાતરી આપી હતી કે જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં જ તેનો રાજ્યનો દરજ્જો પાછો મળશે. જોકે, આ કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રી […]

કાશ્મીરમાં ભારે હિમવર્ષા: ફ્લાઈટ્સ રદ અને હાઈવે બંધ થતા મુસાફરો અટવાયા

શ્રીનગર, 23 જાન્યુઆરી 2026: કાશ્મીર ઘાટીમાં થયેલી બરફવર્ષાને કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો છે. સતત થઈ રહેલા હિમપાત અને ખરાબ હવામાનની સૌથી વધુ અસર હવાઈ અને માર્ગ વ્યવહાર પર પડી છે. હિમ વર્ષાને કારણે જનજીવનને પણ વ્યાપક અસર પડી છે. હવાઈસેવા અને વાહન વ્યવહાર ખોરવાતા અનેક મુસાફરો અટવાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર સતત […]

ગુલમર્ગ-પહેલગામમાં શીતલહેર, લઘુત્તમ તાપમાન માઈનસમાં નોંધાયું

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 202ઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી ઉપર નોંધાયું છે, જ્યારે પહેલગામ હિલ સ્ટેશનમાં શુક્રવારે તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ 4.5 અને પહેલગામમાં માઈનસ 1.6 ડિગ્રી નોંધાયું હતું.જમ્મુ વિભાગની વાત કરીએ તો, જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન […]

શ્રીનગરના કબ્રસ્તાનમાંથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

શ્રીનગર: સુરક્ષા દળોએ શ્રીનગરના તાર નટીપોરા વિસ્તારમાં આવેલા એક કબ્રસ્તાનમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પોલીસ સ્ટેશન બેમિનામાં નોંધાયેલી FIR ની તપાસના […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત કેસમાં કાઉન્ટર-ઈન્ટેલિજન્સના 12 સ્થળોએ  દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) ટીમે સવારે કાશ્મીર ડિવિઝનના અનેક સ્થળોએ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ અંગેની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યા છે. CIK ટીમના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે CIKએ પોલીસ અને CRPFની મદદથી ઘાટીના કુલ સાત જિલ્લામાં […]

શ્રીનગરમાં 21 શંકાસ્પદ આતંકવાદીઓના ઠેકાણાઓ પર દરોડા, મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી જપ્ત

જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુપ્ત માહિતીના આધારે એક મોટા ઓપરેશનમાં શ્રીનગર શહેરમાં અનેક સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 21 આતંકવાદી સહયોગીઓ અને સક્રિય કાર્યકરો (OGWs) ના નિવાસસ્થાનોની તપાસ કરવામાં આવી. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આ દરોડા અને […]

આતંકી હુમલાને પગલે તાત્કાલિક રાહત પગલાના ભાગ રૂપે શ્રીનગરથી ચાર ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અસરગ્રસ્ત પ્રવાસીઓ અને પીડિતોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લીધાં છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને તેઓ સંબંધિત અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં રહીને પરિસ્થિતિ પર નજર […]

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code