Site icon Revoi.in

રોજીંદા વપરાશમાં લેવાતી ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને, 100 રુપિયે કિલો થઈ ડુગંળી

Social Share

દિલ્હીઃ ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી સતત બઘાને રડાવી રહી છે, ફરી એક વખત તહેવારની સિઝનના આણે જ ડુંગળીના ભાવ સાતમા આસમાને પહોંચતા જોવા મળી રહ્યા છએ જેની સામાન્ય ગૃહિણીઓ પર અસર પડી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નવરાત્રી પહેલા જે ડુંગળી 40 થી 30 રુપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી તે જ ડુંગળી ના ભાવ હવે 60થી લઈને 100 રુપિયે કિલો સુઘી પહોંચી જતા સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર પડ્યો છે.

જ્યા એક તરફ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહગી છે તો બીજી તરફ ગરિબોની કસ્તપરી મોંઘી થી રહી છે. આવી સ્થિતી વચ્ચે વિપક્ષો  ખુશ છે. તેમને આ મુદ્દો ચૂંટણીની વચ્ચે જ મળ્યો. ગયા અઠવાડિયે, છૂટક બજારોમાં ડુંગળી 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી, પરંતુ માત્ર બે દિવસ પહેલા, તે વધીને 80-100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

ડુંગળીના ભાવ વઘારા પાછળ અનેક કારણો છે જેમ કે  નિષ્ણાંતોના મતે આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ ડુંગળીનો સંગ્રહ છે, જેના કારણે સપ્લાયમાં ઘટાડો થયો અને ભાવ આ સ્તરે પહોંચ્યા.

જો વાત કરીએ પંજાબની તો અહીના  લુધિયાણાના ન્યુ વેજીટેબલ માર્કેટના વાઇસ પ્રેસિડેન્ટે એક મીડિયા સાથેની વાતચીતમામ કહ્યું છે કે , ‘આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકો બજારમાં ડુંગળીનો છેલ્લો સ્ટોક સ્ટોર કરી રહ્યા છે. આનાથી અછત સર્જાઈ રહી છે, જેના કારણે ભાવ વધી રહ્યા છે. જો તેને અંકુશમાં લેવા માટે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા મહિનામાં ભાવ ₹120-150 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

 વઘુ વિગત આપતા તેમણે કહ્યું હતું કે એક અઠવાડિયા પહેલા જ હોલસેલ માર્કેટમાં ડુંગળી 20-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. રિટેલમાં તે ₹35-50 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું.

ડુંગળીના આ વધેલા ભાવ બાદ જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવ વધીને ₹45-50 પ્રતિ કિલો થઈ ગયા છે. શહેરોના છૂટક બજારોમાં ડુંગળી 80-100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.  ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો શરૂ થયા છે,ઉલ્લેખનીય છે કે  કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિ મેટ્રિક ટન $800નો લઘુત્તમ નિકાસ ભાવ  લાદ્યો છે. આ પ્રતિબંધ 29 ઓક્ટોબર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી લાગુ રહેશે.