Site icon Revoi.in

રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ ખાતે જાન્યુઆરીમાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થીઓ અને  બિન- વિદ્યાર્થી યુવક યુવતિઓને “આરોહણ-અવરોહણ સ્પર્ધા” માં જોડાવાની ઉંમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા  ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીમાં જુનાગઢ ખાતે યોજાશે.

રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે એક  દિવસની ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા  જાન્યુઆરી-2021 માં જુનાગઢ ખાતે યોજવામાં આવશે. માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ તા.31/12/2021 ના રોજ 14 થી 35 વર્ષની વચમર્યાદા ધરાવતા હોય તેવા અને આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢને તા.21/12/2021 સુધીમાં મોકલી આપવાનું રહેશે. યુવક યુવતીઓમાં સાહસિકતા વધે તે માટે દર વર્ષે આરોહણ, અવરોહણ સ્પર્ધાનું યોજન કરવામાં આવે છે. અને યુવક-યુવતીઓ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો ને સીધે સીધા રાષ્ટ્રીય કક્ષાના ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મોકલવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે-તે સ્થળ ખાતે સ્વ ખર્ચે આવવા જવાનું રહેશે તથા સ્પર્ધા દરમિયાન  નિવાસ ભોજન તેમજ માગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પત્ર મોબાઇલ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. કોઇપણ બાબતની પૃચ્છા સંબંધમાં સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢનો સંપર્ક કરવાનો રહેશે.