Site icon Revoi.in

દિવથી થોડા અંતરે આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર,જાણો તેનો ઈતિહાસ

Social Share

દેવોના દેવ એટલે કે મહાદેવ, જેના પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને જો કોઈ કામ કરવામાં આવે તો નામથી જ કામ થઈ જાય, એવું લોકો કહે છે. જે લોકો મહાદેવના ભક્ત હોય તેમણે તો આ સ્થળ પર જરૂરથી ફરવા જવુ જોઈએ.

આ સ્થળ ગુજરાતના દિવથી લગભગ ચાર કિલોમીટરના અંતરે આવેલા ‘ફુદમ’ ગામમાં આવેલું છે. એવું કહેવાય છે કે મહાદેવનું આ ગંગેશ્વર મહેશ્વરનું મંદિરમાં દરિયાદેવ સ્વયં જ અહીં શિવજી પર સતત જળાભિષેક કરતા જ રહે છે. પ્રકૃતિના સાનિધ્યે સ્થિત મહાદેવના આ મનોહારી રૂપને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટતા જ રહે છે.

જો આ મંદિરના ઈતિહાસની વધારે વાત કરવામાં આવે તો સમસ્ત સૃષ્ટિમાં દેવાધિદેવનું આવું દિવ્ય રૂપ બીજે ક્યાંય પણ જોવા નથી મળતું. ગંગેશ્વર મહાદેવ એ ગંગનાથના નામે પણ પૂજાય છે. આ રીતે કોઈ એક જ સ્થાન પર પાંચ શિવલિંગના દર્શન થતાં હોય અને દરિયાદેવ તેના પર સ્વયંભૂ અભિષેક કરતાં હોય તેવું તો ધરતી પરનું આ એકમાત્ર સ્થાન છે.

ગંગેશ્વર મહાદેવના પ્રાગટ્ય સાથે કુંતી પુત્ર પાંડવોની ગાથા જોડાયેલી છે. મહાભારતના વનપર્વમાં આ સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. જે અનુસાર પાંડવો તેમના વનવાસ દરમિયાન ભ્રમણ કરતા પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવ્યા હતા. તેમને નિત્ય શિવપૂજન બાદ જ ભોજન ગ્રહણ કરવાનું પ્રણ હતું. એક દિવસ એવું બન્યું કે જંગલમાં ભ્રમણ કરતા સંધ્યા થઈ ગઈ. પરંતુ, તેમને ક્યાંય શિવલિંગના દર્શન ન થયા. આખરે, પાંચેય પાંડવોએ તેમના કદ અનુસાર નાના-મોટા શિવલિંગનું નિર્માણ કર્યું. અને પછી એક ગુફામાં તેનું સ્થાપન કર્યું.

આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.