Site icon Revoi.in

બાળકોમાં કોરોના વાયરસના શરૂઆતી લક્ષણો આ હોઈ શકે છે, જાણો

Social Share

દિલ્હી : હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરનું જોખમ ફરીથી દેશ ઉપર મંડરાય રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે, ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ ડોકટરોનું માનવું છે કે, પુખ્ત વયના લોકોએ પણ યોગ્ય સમયે નિદાન અને સારવાર શરૂ કરવી જોઈએ..

તેથી, માતાપિતાએ બાળકોને શક્ય તેટલું જોખમી વાતાવરણથી બચાવવા જ પણ પ્રારંભિક લક્ષણો પર પણ નજર રાખવી જોઈએ.

બાળકોમાં કોવિડ -19 ના લક્ષણોમાં ગળામાં દુખાવો અને ઉધરસ સામેલ હોઈ શકે છે. વધુ એક લક્ષણમાં શરદી હોઈ શકે છે. ઘણા બાળકોને વહેતું નાક, બંધ નાક અથવા ગંધની કમી જેવા લક્ષણો પણ અનુભવે છે.

આ લક્ષણો કેટલીકવાર માતા-પિતાને સામાન્ય શરદી અને ફ્લૂથી મૂંઝવી શકે છે. જો કે, થાક અને સ્નાયુઓમાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ અથવા લાલ આંખો, ઝાડા અને પેટમાં દુખાવો, તાવ, ઠંડી જેવા કેટલાક લક્ષણો તમારા બાળકો માટે જોખમી હોઈ શકે છે.

ભારતે કુલ 3.01 કરોડ કોવિડ -19 કેસનો સામનો કર્યો છે,આ ડેટા બંને પ્રથમ અને બીજી લહેરોનું પાલન કરે છે. તો, મૃત્યુનું પ્રમાણ 3.93 લાખ નોંધાયું હતું.

આ સાથે દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. તમામ રાજ્યોની સરકારો હવે ત્રીજી લહેરની તૈયારી કરી રહી છે. કોવિડ -19 એ માત્ર લોકોનો જીવ જ નથી લીધો, પરંતુ અર્થવ્યવસ્થા પર પણ તેની ભારે અસર પડી છે.

કોવિડે આપણા જીવનની ખૂબ જ રૂપરેખા બદલી છે. જો કે, હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ કોરોના મહામારીને કારણે, ઘણા લોકોએ નોકરી ગુમાવી દીધી છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થયાના પણ સમાચાર છે.

Exit mobile version