નવી દિલ્હી, 12 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલા અનામત કાયદાને ખરા અર્થમાં લાગુ કરવાનો સમય આવી ગયો છે જેથી 2029 થી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ મહિલા અનામત સાથે યોજાઈ શકે.
લોકસભા અને રાજ્યસભાના ફ્લોર લીડર્સને લખેલા પત્રમાં, મોદીએ તમામ સભ્યોને મહિલા અનામત કાયદા, જેને નારી શક્તિ વંદન કાયદો નામ આપવામાં આવ્યું છે, તેના મુદ્દા પર સંમત થવા વિનંતી કરી.
સંસદનું બજેટ સત્ર લંબાવવામાં આવ્યું છે, જેમાં ૧૬ થી ૧૮ એપ્રિલ સુધી ત્રણ દિવસનું ખાસ સત્ર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અનામત કાયદાથી લોકસભાની બેઠકોની સંખ્યા ૮૧૬ થશે, જેમાં ૨૭૩ મહિલાઓ માટે અનામત રહેશે.
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ ૨૦૨૩માં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી હતી.

