Site icon Revoi.in

આજે ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ – જાણો તેમના વિશેની કેટલીર સરપ્રદ વાતો

Social Share

ભારતમાં ઘણી મહિલાઓ પોતાના અસાધારણ યોગદાન માટે જાણીતી છે,આજે વાત કરીશું ભારકતની પ્રથમ મહિવા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાઁઘીની કે જેમણે એક શસક્ત મહિલા તરીકે દેશની સત્તા સંભાળી હતી ઈન્દિરા ગાંધી પછી દેશને કોઈ મહિલા વડાપ્રધાન નથી મળ્યા

વડા પ્રધાન તરીકેના તેમના મજબૂત નિર્ણયોએ સમગ્ર દેશમાં ક્રાંતિ લાવી દીધી હતી. જ્યારે તેમને નેહરુનો રાજકીય વારસો સોંપવામાં આવ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેઓ મૂંગી ઢીંગલી જ રહેશે પરંતુ ઈન્દિરા પોતે પોતાના નિર્ણયો લેવા સક્ષમ હતી, તેમણે સાબિત કર્યું. ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ 31 ઓક્ટોબરે આજે ઉજવવામાં આવી રહી છે. આજે તેમની  ્38મી પૂણ્યતિથિ છે.

ઈન્દિરા ગાંઘી એટલે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુના પુત્રી,બાળપણથી પ્રિયદર્શની નામથી ઓળખાતા,પિતાના નેતૃત્વ હેઠળ રહ્યા હોવાથી તેમના રગેરગમાં રાજકારણ સમાયેલું હતું પરિવાર હંમેશાથી દેશ સેવામાં વિશ્વાસ રાખતું, તે દેશસેવા ઈન્દિરામાં પણ જોવા મળી.

ઈન્દિરા ગાંધીએ બાળપણથી જ પોતાના પરિવારને રાજનીતિક ગતિવિધિઓથી ધેરાયેલુ જોયુ હતું તેથી તેમના વ્યક્તિત્વ પર પણ રાજનીતિનો તીવ્ર પ્રભાવ હતો.પિતા નેહરુ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને નેતા.ગાંધીજીના અસહયોગ આંદોલનમાં આ સેનાનુ મુખ્ય યોગદાન હતું.ઈતિહાસમાં તેમના પછી કોઈ મહિલા શાસન પર આવી જ નથી,વર્ષ 1970મા કોંગ્રેસના પ્રમુખ બારોહે તેમના માટે એક સુત્ર આપ્યું હતું- “ઈન્દિરા એટલે ઈન્ડિયા અને ઈન્ડિયા એટલે ઈન્દિરા” ,ખરેખર આ સુત્ર તેમણે સાચું સાબિત કરી બતાવ્યું, અનેક લોકોએ તેમને દુર્ગાનું આપ્યું.

વર્ષ 1969-77 સુધીમાં તો તેઓ ઈતિહાસના બે વ્યક્તિત્વ નાદિર-જેનીથની જેમ બન્યા,1969માં તેમણે જુની કોગ્રેસને છોડી પોતાની ન્યૂ કોગ્રેસ સ્થાપી,વર્ષ 1971મા તેમણે મોહમ્મદ અલી ઝિણાની ‘બે-રાષ્ટ્રીયની થીયેરી’ને નકારીને પાકિસ્તાનને હરાવ્યું,1974મા તેમણે ભારતને પરમાણું શક્તિ બનાવીને તેઓ એક મહત્તમ ઊંચાઈએ પોતાની જાતને સ્થાપિત કરી.

વર્ષ 1975મા  તેમણે સત્તા જાળવી રાખવા માટે આંતરિક કટોકટી લગાવી. બે વર્ષના ઓછા સમયગાળામાં તે સત્તામાંથી બહાર થઈ ગયા.1980મા તેઓ સત્તામાં પરત ફરે છે ત્યારે તે ઇન્દિરા ગાંધી  હવે પહેલા જેવા ગુંગી ગુડીયા નહોતા.તેમણે નેહરુ-ગાંધી રાજવંશ બનાવવાનો પ્રયાસ કર્યો,વર્ષ 1984મા તેના જ શીખ સંરક્ષક દ્વારા તેમની હત્યા થઈ, સમગ્ર જીવન દરમિયાન તેમણે પોતાના વ્યક્તિત્વના અનેક રંગો બતાવ્યા.નાનપણના દિવસોમાં જેને  પ્રેમથી ઈન્દુ કહેવામાં આવતા જે ખૂબ જ શરમાળ અને અંતર્મુખી હતા.તે સમયે તે કોઈ સિદ્ધાંતચિત્ર નહોતા.પરંતુ સમય સાથે અને સમય જતા તે સંપૂર્ણ બદલાયા.