Site icon Revoi.in

કોરોના વેક્સિન અભિયાનનો આજે 29 મો દિવસ – આજથી સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિનનો બીજો ડોઝ અપાશે

Social Share

દિલ્હીઃ-કોરોના વાયરસને માત આપવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન કાર્યક્રમ શરુ થયો હતો જેને  આજે 29 મો દિવસ  થયો છે. ત્યારે હવે વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરુઆત પણ થઈ ચૂકી છે,. બંને ડોઝ સાથે રસીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને કોવિડ -19 સામે એન્ટિબોડીઝ 14 દિવસ પછી વિકસિત થશે. શુક્રવાર સુધીમાં, 58 લાખ 65 હજાર 813 આરોગ્ય કર્મચારીઓ અને 19 લાખ 506 ફ્રન્ટલાઈન કર્મચારીઓને ભારતમાં વેક્સિન આપવામાં આવી છે.

ભારતનું રસીકરણ અભિયાન માત્ર વિશ્વનું સૌથી  મોટું તો છે , પરંતુ તે વિશ્વમાં સૌથી ઝડપી પણ છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતની રસીકરણ ઝુંબેશની પ્રશંસા કરી છે, મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને 20 ફેબ્રુઆરી સુધીમાં આરોગ્ય કર્મચારીઓની રસીકરણના પ્રથમ તબક્કાને સમાપ્ત કરવા જણાવ્યું છે. આગામી તબક્કો 25 ફેબ્રુઆરીથી શરૂ થશે.

રસીકરણ પછી કુલ 24 લોકોના મૃત્યુ થયા છે પરંતુ મૃત્યુમાંથી કોઈ પણ રસીકરણ માટે જવાબદાર નથી હોવાનું  જણાવ્યું છે,આ સાથે જ  ફ્રંટ લાઈનના કર્મચારીઓ માટે રસીકરણ ચાલુ રખાશે છે. ભારત જલ્દીથી 50 વર્ષથી નીચેના લોકો માટે રસી આપવાનું શરૂ કરશે.

બિહાર, ત્રિપુરા, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, છત્તીસગ,, હિમાચલ પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ, મિઝોરમ, રાજસ્થાન અને સિક્કિમે તેમના રજિસ્ટર્ડ હેલ્થ કર્મચારીઓમાંથી 70 ટકા રસી લીધા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ , ગુજરાત, કર્ણાટક, છત્તીસગ,, ઝારખંડ અને ઓડિશામાં સૌથી વધુ રસી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્તરે ભારત રસીકરણમાં મોખરે રહ્યું છે અને વેક્સિન આપીને લોકોની મદદે પણ આવ્યું છે, અત્યાર સુધી ભઆરતે અનેક દેશઓને વેક્સિન પહોંચાડી છે.

સાહિન-

Exit mobile version