Site icon Revoi.in

ટ્રાઇબલ એક્ટીવિસ્ટ સ્ટેન સ્વામીનું 84 વર્ષની વયે નિધન

Social Share

મુંબઈ : ભીમા કોરેગાંવ કેસમાં ગત વર્ષે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરાયેલા 84 વર્ષીય ટ્રાઇબલ એક્ટીવિસ્ટ સ્ટેન સ્વામીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. 30 મેના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશથી તેમને મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રવિવારે ફાધર સ્ટેન સ્વામીની તબિયત અચાનક વણસી ગઈ હતી, ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આજે તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. સમાચાર મુજબ, તેમને લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેનું ઓક્સિજનનું સ્તર ખૂબ જ વધઘટ થતું હતું.

તેમના વકીલ મિહિર દેસાઈએ આજે ​​સવારે તેમની તબિયત લથડતી હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 84 વર્ષીય ફાધર સ્ટેન સ્વામી રવિવારે રાત્રે વેન્ટિલેટર પર હતા. 28 મેના રોજ કોર્ટના આદેશ બાદ સ્વામી હોલી ફેમિલી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેમની સારવારનો ખર્ચ તેના સાથીઓ અને મિત્રો સહન કરી રહ્યા હતા. શનિવારે એડવોકેટ દેસાઈએ જસ્ટીસ એસ.એસ. શિંદે અને જસ્ટીસ એન.જે. જમાદારની પીઠને કહ્યું હતું કે સ્વામીની હાલત નાજુક છે અને તે હજી પણ આઈસીયુમાં છે.

 

Exit mobile version