Site icon Revoi.in

સનાતન કાળ જેવા રુપમાં બદલાઈ રહ્યુ છે ઉજ્જૈન,આ રીતે થઈ રહ્યા છે બદલાવ

Social Share

ઉજ્જૈનમાં આવેલું મંદિર કે જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. લોકોની મંદિર પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા પણ જોરદાર છે પરંતું જો વાત કરવામાં આવે મહાકાલેશ્વરના મંદિરની તો તે હવે સનાતનકાળ જેવા રૂપમાં બદલાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં ધાર્મિક નગરી ઉજ્જૈનને સનાતન કાળનું રૂપ આપીને ફરીથી કોતરણી કરવામાં આવી રહી છે. રામઘાટ અને દત્ત અખાડા વિસ્તારમાં ઘાટોની સફાઈ અને સફાઈ કર્યા બાદ સુંદર પેઈન્ટીંગ અને બ્યુટીફિકેશન કરીને 7 રંગોથી શણગારવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે ઉજ્જૈન શહેરની તો ઉજ્જૈન શહેર સમગ્ર વિશ્વમાં ધાર્મિક નગરીના નામથી પ્રખ્યાત છે. બારમા જ્યોતિર્લિંગમાંથી એક શ્રી મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ છે.

મંદિરમાં થઈ રહેલા બદલાવ વિશેની તો 3D, પેન્સિલ વર્ક દ્વારા રામઘાટ અને દત્ત અખાડા વિસ્તારની દિવાલો પર ‘જય શ્રી મહાકાલ’ અને ‘હર હર મહાદેવ’ જેવા નારા લખવામાં આવી રહ્યા છે. આ સમગ્ર વિસ્તારને નવો લુક મળી રહ્યો છે. હવે મંગલનાથ, સિદ્ધવત અને ત્રિવેણી સ્થિત શનિ મંદિરને પણ તે જ રીતે શણગારવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી દેશભરમાં ભારતીય સ્વચ્છતા લીગ શરૂ થઈ છે. જેમાં દેશભરના 1800 શહેરો ભાગ લઈ રહ્યા છે. આ લીગ દરમિયાન ભારતના 100 મોટા શહેરોમાં ટીમો બનાવીને ટીમ અને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જેમાં ઉજ્જૈનની ટીમ અવંતિ વોરિયર્સ છે, જેના કેપ્ટન મેયર મુકેશ તટવાલ છે. અત્યાર સુધીમાં આ ટીમમાં કુલ 4600 યુવાનો નોંધાયા છે, જેઓ ટીમ સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ટીમ ઉજ્જૈનની કાયાપલટ કરી રહ્યા છે.