Site icon Revoi.in

યુક્રેનઃ રશિયાના હુમલામાં 352 નાગરિકોના મોતનો દાવો, કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવાયો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાનો અમેરિકા સહિતના દેશો વિરોધ કરી રહ્યાં છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત 352 નાગરિકોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો કર્યો છે. દરમિયાન રાજધાની કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ યુક્રેનની સેના રશિયાન સૈન્યનો સામનો કરી રહી છે અને હજુ સુધી રાજધાની કિવથી દૂર રાખવામાં સફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારત સહિત દુનિયાના તમામ દેશોની નજર યુક્રેન અને રશિયાની આગળની નીતિ ઉપર મંડાયેલી છે.

યુક્રેને છેલ્લા પાંચ દિવસથી કિવની બહાર રશિયાને રોકી રાખ્યું છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે આગામી 24 કલાક યુક્રેન માટે સૌથી મુશ્કેલ રહેવાના છે. તે જ સમયે, G7 નેતાઓએ યુક્રેનના વિદેશ પ્રધાન સાથે વાત કરી. તેમણે કહ્યું કે તમામ દેશો રશિયા સામેની લડાઈમાં યુક્રેનને સમર્થન આપતા રહેશે. અહીં રશિયન હુમલામાં યુક્રેનના 352 નાગરિકોના મોત થયા છે. તેમાં 14 બાળકોનો પણ સમાવેશ થાય છે.

યુક્રેનની રાજધાની કિવમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે સલામત સ્થળાંતર માટે વિશેષ ટ્રેનો તૈયાર કરવામાં આવી છે. આના દ્વારા, તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના પશ્ચિમી પ્રદેશોમાં આશરો લે છે, જેથી તેમના સ્થળાંતરની વ્યવસ્થા કરી શકાય. ખરેખર, યુક્રેનના પશ્ચિમી શહેરો રશિયન આક્રમણથી પ્રભાવિત નથી.

Exit mobile version