Site icon Revoi.in

યુપીનું રાનીપુર ટાઈગર રિઝર્વ દેશનું 53મું ટાઈગર રિઝર્વ બન્યું, કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ટ્વિટ કરીને આપી માહિતી

Social Share

લખનૌ-ઉત્તરપ્રદેશમાં આવેલું રાણીપુર ટાઈગર રિઝર્વ  હવે ભારતનું 53મું ટાઈગર રિઝર્વ  બની ગયું છે. આ વાઘ અભયારણ્ય 529.36 ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે, જેમાંથી મુખ્ય વિસ્તાર 230.32 ચોરસ કિમી અને બફર વિસ્તાર 299.05 ચોરસ કિમી છે. 

આ મામલે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક ટ્વિટમાં આ બાબતે પુષ્ટિ કરી છે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, એ જણાવતા આનંદ થાય છે કે યુપીમાં રાણીપુર ટાઈગર રિઝર્વ ભારતનું 53મું ટાઈગર રિઝર્વ બની ગયું છે.આ નવું ટાઈગર રિઝર્વ અમારા વાઘ સંરક્ષણ પ્રયાસોને મજબૂત બનાવશે.”

ઉલ્લેખનીય છે કે રાણીપુર વન્યજીવ અભયારણ્યની સ્થાપના 1977માં કરવામાં આવી હતી. યુપીમાં દુધવા, પીલીભીત અને અમનગઢ પછી વિકસિત થનારું આ રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ હશે. આ ટાઈગર રિઝર્વ પાસે પોતાનો કોઈ વાઘ નથી. પરંતુ વાઘની અવરજવર માટે તે એક મહત્વપૂર્ણ કોરિડોર છે.

આ સાથે જ રાણીપુર ટાઈગર રિઝર્વમાં ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો છે અને તે વાઘ, ચિત્તો, સુસ્તી રીંછ, સ્પોટેડ હરણ, સાંભર, ચિંકારા અને ઘણા પક્ષીઓ અને સરિસૃપોનું ઘર છે.ત્યારે હવે આ અભ્યારણ દેશનું 53મુ ટાઈગર રિઝર્વ બની ગયું છે.