Site icon Revoi.in

વારાણસીઃ ASIની ટીમ વકીલો સાથે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પ્રવેશી,સર્વે શરૂ

Social Share

વારાણસી : વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં સ્થિત સીલ સ્ટોરેજ સિવાય અન્ય સ્થળોએ વૈજ્ઞાનિક સર્વે શરૂ થયો છે. અગાઉ ASIની ટીમ જ્ઞાનવાપી કેમ્પસમાં આવી પહોંચી છે. કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચારથી ટીમ પ્રવેશી છે. સર્વે માટે ASIની ટીમ આધુનિક મશીનો સાથે આવી પહોંચી છે. સરકારે શહેરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

હિંદુ પક્ષે સર્વેમાં સહકારની વાત કરી છે, જ્યારે અંજુમન ઇન્તેજામિયા મસાજિદ કમિટીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ સામે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને ટાંકીને સર્વેની તારીખ લંબાવવાની માંગ કરી છે. સાથે જ કહ્યું કે તે સોમવારે સર્વેમાં ભાગ નહીં લે અને તેનો બહિષ્કાર કરશે. બીજી તરફ જ્ઞાનવાપી કેમ્પસના સર્વેને લઈને જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે 21 જુલાઈએ આદેશ આપ્યો હતો કે ASIએ જ્ઞાનવાપી કેમ્પસમાં સ્થિત સીલ સ્ટોરેજ સિવાયના બાકીના ભાગોની વૈજ્ઞાનિક તપાસ કરવી જોઈએ. તેમજ 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ બનાવો અને જણાવો કે મંદિર તોડીને તેની ઉપર મસ્જિદ બનાવવામાં આવી છે કે કેમ.

રવિવારે ASIના એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર પ્રો. આલોક ત્રિપાઠી પોલીસ કમિશનર મુથા અશોક જૈન અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમને મળ્યા અને સર્વેમાં સામેલ બંને પક્ષકારોની બેઠક બોલાવવા વિનંતી કરી. એએસઆઈના આદેશ પર પોલીસ કમિશનર અને ડીએમએ રવિવારે મોડી રાત્રે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી અને હિન્દુ પક્ષ સાથે અલગ-અલગ બેઠકો કરી.

બેઠકમાં કોર્ટના આદેશને ટાંકીને સર્વેની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. ડીએમ એસ. રાજલિંગમે માહિતી આપી કે ASIની ટીમ શહેરમાં આવી પહોંચી છે. કોર્ટના આદેશ મુજબ સોમવારે સવારથી જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વેની કામગીરી શરૂ થશે.

Exit mobile version