Site icon Revoi.in

વિદ્યાબાલનની ફિલ્મ ‘નિયત’નું ટિઝર રિલીઝ, આવતીકાલે ટ્રેલર પણ રિલીઝ કરાશે – અભિનેત્રી જાસૂસના રોલમાં સોલ્વ કરશે મર્ડરમિસ્ટ્રી

Social Share

મુંબઈઃ- અભિનેત્રી વિદ્યા બાલન બી ટાઉનમાં ખૂબ જ સક્સેસ અભિનેત્રી છે તેણે બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે ત્યારે હવે વિદ્યા બાલન વધુ એક નવા અવતારમાં નવી ફઇલ્મ સાથે તૈયાર છે.

વિદ્યા બાલન  છેલ્લે ‘મિશન મંગલ’માં જોવા મળી હતી ત્યારે આજરોજ તેની અપકમિંગ  ફિલ્મ ‘નિયત’ નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.આ ફઇલ્મથી વિદ્યા બાલન લાંબા સમય પછી ફિલ્મમાં પરત ફરતી જોવા મળશે આ સાથે જ આ ફિલ્મમાં તે હટકે રોલ પ્લે કરશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રાઇમ વિડિયો અને વિક્રમ મલ્હોત્રા દ્વારા નિર્મિત, અભિનેત્રી તેની શકુંતલા દેવી નિર્દેશિત અનુ મેનન સાથે આ ફિલ્મ માટે સહયોગ કરતી જોવા મળશે. અભિનેત્રીએ તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જે દર્શકોને ગમ્યું પણ છે.
https://www.instagram.com/p/CtvOc4atJw-/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
વિદ્યા બાલને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી ફિલ્મ ‘નિયત’નું ધમાકેદાર ટીઝર શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું છે, “રહસ્યો અને હેતુઓનું વિશ્વ  થશે જાહેર . જુઓ ‘નિયત’. માત્ર સિનેમાઘરોમાં 7મી જુલાઈએ રિલીઝ થઈ રહી છે.”
જો ફિલ્મમાં અભિનેત્રીના રોલ વિશે વાત કરીએ તો તે જાસૂસના રોલમાં જોવા મળી છે મર્ડર મિસ્ટ્રી ફિલ્મના ટીઝરમાં ડિટેક્ટીવ તરીકે વિદ્યા બાલનનો ફર્સ્ટ લુક પણ જોવા મળ્યો છે.
વિદ્યાએ ફિલ્મમાંથી તેનો લુક શેર કર્યો અને લખ્યું, “મીરા રાવને મળો. એક મર્ક્લાડર મિસ્ટ્રીમાં એટલી  ક્લાસિક ડિટેક્ટીવ નથી. આવતીકાલે ટ્રેલર પણ રિલીઝ કરાશે.
https://twitter.com/Abundantia_Ent/status/1671382606687125506?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1671382606687125506%7Ctwgr%5E0ddc5a184546ba98d16a8bf5315c5b3cfad8634d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bollywoodhungama.com%2Fnews%2Ffeatures%2Fneeyat-makers-vidya-balan-starrer-unveil-11-character-posters-ahead-trailer-launch%2F
છે. ‘ન્યાત’ 7 જુલાઈએ સ્ક્રીન પર આવશે. ‘નિયત’ની વાર્તાની વાત કરીએ તો, તે એક હત્યાની આસપાસ ફરે છે, જેમાં ઘણા પાત્રો શંકાના દાયરામાં છે. જો કે, અસલી ખૂની કોણ છે? તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. પોસ્ટર ચાહકોનો ઉત્સાહ વધારી રહ્યું છે.