Site icon Revoi.in

મણિપુરમાં ફરી ભડકી હિંસા, ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત

Social Share

ઇમ્ફાલ: છેલ્લા કેટલાક દિવસોની શાંતી બાદ શુક્રવારે સવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશન હેઠળના થવઈ કુકી ગામમાં સવારે 5.30 વાગ્યે શંકાસ્પદ મીતેઈ સશસ્ત્ર બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્રણ કુકી લોકોના મોતના સમાચાર છે. BSF સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વિસ્તારમાં સ્થિતિ તંગ હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેઇતી બદમાશોએ પહેલા ગામની ડ્યુટી પોસ્ટ પર હુમલો કર્યો, જ્યાં ગામની સુરક્ષા માટે સ્વયંસેવકો ફરજ પર હતા. આ ફાયરિંગમાં કુકી સ્વયંસેવકોના ત્રણ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા લોકોની ઓળખ જામખોગિન હાઓકીપ (26), થંગખોકાઈ હાઓકીપ (35) અને હોલેન્સન બાઈતે  (24) તરીકે થઈ છે.

ઉલ્લેખનીય છે કે આ ગામ મેઇતી વસ્તી વિસ્તારથી દૂર આવેલું છે. મેઇતીનું સૌથી નજીકનું નિવાસસ્થાન યિંગંગપોકપી ખાતે છે જે ઘટના સ્થળથી 10 કિલોમીટરથી વધુ દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળથી 37 બીએસએફ લગભગ પાંચથી છ કિલોમીટર દૂર છે. ઘટના બાદ બીએસએફ સહિત અન્ય સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.આ અધિકારીઓ તેમનો રિપોર્ટ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર ઘનશ્યામ ઉપાધ્યાયને આપશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં મહિલા તપાસ અધિકારીઓને તપાસ ટીમમાં સામેલ કરવામાં આવી છે.