Site icon Revoi.in

ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર 

Social Share

દિલ્હી:દિલ્હીથી ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં સોમવારે સાંજે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે એરક્રાફ્ટ ટેક ઓફ કર્યા બાદ પરત ફર્યું હતું.

આ ઘટના સાંજે 7.53 કલાકે બની હતી. DGCA સૂત્રોનું કહેવું છે કે વિસ્તારાની ફ્લાઈટ A320ની ગ્રીન હાઈડ્રોલિક સિસ્ટમમાં નિષ્ફળતાને કારણે એરક્રાફ્ટ એર ટર્ન બેકમાં ફસાઈ ગયું હતું. વિમાને 8.19 મિનિટે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.