Site icon Revoi.in

ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સતત વધતા જળસપાટી 30 ફૂટને વટાવી ગઈ

Social Share

ભાવનગરઃ ચોમાસા દરમિયાન ગોહિલવાડ પંથકમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેમાં અમરેલીના ઘારી સહિત શેત્રુંજી નદીના ઉપરવાસમાં સારા વરસાદ તેમજ ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રૂંજી ડેમમાં પાણીના આવક સતત વધી રહી છે. શેત્રુંજી ડેમમાં સતત બે દિવસથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી વધીને 30.3 ફૂટ પહોંચી છે, સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની સપાટી વધવાની શક્યતા છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શેત્રુંજી નદીના ઉપરવાસમાં જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદને કારણે ધારીનો ખોડીયાર ડેમ ભરાઈ ગયો છે, અને નદીમાં પાણી છોડાતા  બે દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી રહી છે. અને 2030 ક્યુસેક્ પાણીની આવક છે. જેને લઈને શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે. ડેમમાં પાણીના સપાટી 30 ફુટને વટાવી જતાં ભાવનગર શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન અને સિંચાઈનો પ્રશ્ન એક વર્ષ સુધી નડશે નહીં. શેત્રુંજી ડેમ ભરાતા ભાવનગરવાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની આવત અવિરીત શરૂ રહી છે ગુરુવારે સવારે 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી અને સપાટી 29.11 ફૂટે પહોંચી હતી, ત્યારબાદ આવક શરૂ રહેતા  શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જ્યારે સવાર સુધીમાં 4,,181 ક્યુસેક પાણીની આવક શરૂ હતી જ્યારે બપોર બાદ 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે. જેના કારણે ડેમની સપાટી 30.3 ફૂટે પહોંચી હતી. હાલ ડેમમાં 2030 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.