Site icon Revoi.in

યે રિશ્તા ક્યા કહેલાતા હે….માં હવે નહી જોવા મળે કાર્તિક- મોહસીન ખાને શો ના લાસ્ટ સીનના ફોટો કર્યા શેર

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાર પ્લસ પર યે રિશ્તા ક્યા કહેલાતા હે ,,,સિરીયલ ચાલી રહી છે, જેમાં સૌ પ્રથમ અક્ષરાના રોલમાં હિનાખાને પોતાની આગવી ઓળખ બનાવી ત્યાર બાદ તેની પુત્રી નાયરાના રોલમાં શિલાંગી જોશીએ પણ એક એલગ ઓળખ સાબિત કરીહતી, હવે નાયરાના પતિના રોલ પ્લે કરતો કાર્તિક એટલે કે મોહસીન ખાન પણ  દર્શકો માટે ફેમસ એક્ટર બની ચૂક્યા છે, જો કે એવા સમાચાર સામે આવ્યા છે કે હવે કાર્તિક આ શોમાં જોવા મળશે નહી.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ઓફ એર થવાની અફવાઓના કારણે છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. તે જ સમયે, તાજેતરમાં, શોમાં કાર્તિકની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહસીન ખાને એક પોસ્ટ શેર કરી છે જેણે ચાહકોને ભાવુક કર્યા છે. મોહસિને પોતાના સોશિયલ એકાઉન્ટ પર લેટેસ્ટ પોસ્ટમાં તેના છેલ્લા સીનના ફોટો શેર કર્યા છે સીરિયલના આ ફોટચો સાશિયલ મીડિયા પર વાયરલ થી રહ્યા છે જેમાં કેટલાક સિરીયલ સાથે જોડાયેલા લોકો પણ જોવા મળી રહ્યા છે.

મોહસીન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ  સ્ટોરી  શેર કરી છે. આ પોસ્ટમાં મોહસીને ત્રણ ફોટો શેર કરી છે અને તેના કેપ્શનમાં દિલ કી બાત એમ લખ્યું છે. ફોટામાં મોહસીન સાથે શિવાંગી જોશી અને શોના ડિરેક્ટર પણ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મોહસિન ખાનની આ પોસ્ટથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ચતેઓ હવે આ સિરીયલમાંથી વિદાય લઈ રહ્યા છે,આ પોસ્ટ દ્વારા, મોહસીને તેના સહ-કલાકારોનો આભાર માન્યો અને ફોટોમાં શો નો લાસ્ટ સીન દર્શાવ્યો છે.

મોહસિને ફોટા સાથે લખ્યું- ‘5.5 વર્ષ માશાઅલ્લાહ, કાર્તિક ગોએન્કા તરીકેનો પહેલો અને છેલ્લો સીન. હું દરેક વસ્તુ માટે ખૂબ આભારી છું ‘. આ સિવાય કાર્તિકે શોની આખી ટીમની મહેનતની વાત કરી છે અને તેમનો આભાર પણ માન્યો છે. ઘણા કલાકારો મોહસીનના છેલ્લા સીન અને શો છોડીને પણ લાગણીશીલ જોવા મળ્યા હતા