Site icon Revoi.in

કચ્છના કાળા ડુંગર પર દત્તાત્રેય મંદિરમાં સાંજે ખાચડીનો પ્રસાદ આરોગવા આવતા શિયાળો હવે કેમ નથી આવતા ?

Social Share

ભૂજઃ કચ્છમાં ઘોરાડ પક્ષીનું હવે નામોનિશાન રહ્યું નથી. એટલે કે ઘોરાડ પક્ષીની જાતી લૂપ્ત થઈ ગઈ છે. ત્યારે કચ્છના રણમાં રહેતા શિયાળના એક સમયે ઝુંડ જોવા મળતા હતા પરંતુ હવે ત્યાં માડ એકલ દોકલ શિયાળ જોવા મળી રહ્યા છે. માંસ ખાવા વાળા જીવ જો શાકાહારી વસ્તુ ખાવા લાગે તો કોઈને પણ નવાઈ લાગી શકે છે. પરંતુ કચ્છના રણમાં એક એવી પરંપરા છે કે લુચ્ચા શિયાળ પર દર વર્ષે અચૂક પણે ખીચડી ખાવા માટે આવે છે. આ સ્થળ કચ્છના રણથી લગભગ 25 કિલોમીટર દૂર છે. જે પ્રવાસીઓનું પણ પ્રિય સ્થળ છે, કચ્છનો જાણીતો કાળા ડુંગર પર ભગવાન દત્તાત્રેયનું મંદિર છે.અહિંયા સેંકડો વર્ષથી સાંજે મંદિરમાં ખીચડીનો પ્રસાદ ખાવા શિયાળો આવે છે.પરંતું છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરા તૂટી રહી છે.હવે એટલા મોટા પ્રમાણમાં શિયાળ નથી આવતા જેટલા પહેલા આવતા હતા.

કચ્છમાં કાલા ડુંગર પર ભગવાન દત્તાત્રેયના મંદિરમાં શિયાળોને ખીચડી ખવડાવવાની પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે.જેમાં દરરોજ સાંજે મંદિરની પાસે આવેલા ચબુતરો કે જેનું નામ લોંગ પ્રસાદ ઓટલો છે જ્યાં ખીચડી ખાવા શિયાળના ટોળાં આવતા હતા.પરંતુ હવે તે ઘટી રહ્યા છે.કાળા ડુંગરનો છેલ્લા કેટલા વર્ષોથી વિકાસ કરવામાં આવ્યો છે.જેથી અહીં સાઈટસીન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય.જેનાથી શિયાળ ડરી જાય છે.માણસોની વધતી આવન-જાવનના લીધે શિયાળ ખીચડી ખાવા માટે નથી આવતા એવું માનવામાં આવે છે.

સૂત્રોના કહેવા મુજબ કચ્છના કાળા ડુંગરમાં મોટી સંખ્યામાં શિયાળની હાજરી છે.પરંતુ સ્થાનિકોના મતે કચ્છમાં શિયાળની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.ભૂકંપ બાદ કચ્છના શિયાળોની સંખ્યા ઘટી છે.સાથે કોઈ રોગચાળાના લીધે આવુ થયાની પણ સ્થાનિકોમાં આશંકા છે  ફોરેસ્ટ ખાતાના દાવા મુજબ કાળા ડુંગરના વિસ્તારમાં આજે પણ શિયાળની હાજરી છે.પરંતુ સતત વધી રહેલ જીગલી ભૂંડની સંખ્યાથી શિયાળ મંદિર તરફ આવતા નથી.સાથે વધતી પ્રવાસીઓની સંખ્યાની પણ અસર થઈ રહી છે.શિયાળ ઓછા નથી થયા પરંતુ ભૂંડ અને માણસોના ડરથી મંદિર તરફ આવવાનું ભૂલી ગયા છે.  એક માન્યતા મુજબ ગુરુ દત્તાત્રેય ફરતા ફરતા કાળા ડુંગર પર પહોંચ્યા તો ત્યાં તેમણે એક શિયાળને ભોજન માટે તરફડતું જોયું.ત્યારે દત્તાત્રેયે શિયાળને પોતાના અંગ ખાવાનું કહ્યું પરંતુ શિયાળે તે ન ખાધું.જેથી પ્રસન્ન થઈ દત્તાત્રેય ભગવાને વરદાન આપ્યું કે કચ્છમાં ક્યારેય શિયાળ ભૂખ્યા નહીં રહે.ત્યારે બાદ કાળા ડુંગર પર મંદિર બન્યું અને ગોળમાં બનેલી ખીચડી ખવડાવવાની પરંપરા શરૂ થઈ હતી.

Exit mobile version