Site icon Revoi.in

શિવરાત્રીમાં શિવલિંગની શા માટે કારાય છે પરિક્રમા, જાણો પરિક્રમા સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

Social Share

શિવરાત્રિના પાવન પર્વે પર સૌ કોઈ શિવની ભક્તિમાં લીન બને છે, શિવને પ્રસ્નન કરવા દરેક શ્રદ્ધાળુઓ ઉપવાસ સહીત પૂજા અર્ચના કરે છે, આ સાથે જ શિવલિંગની પરિક્રમાનું પમ આજના દિવસે ખાસ મહત્વ હોય છે.જો કે શિવલિમગની પરિક્રમા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તમારી પૂજા અર્ચનામાં કોઈ ભૂલ ન થાય.

મંદિરોની જેમ શિવલિંગની પણ પરિક્રમા તમે કરતા જ હશો શિવલિંગની પરિક્રમા માટે ખાસ નિયમો છે. સામાન્ય રીતે અન્ય મંદિરોની પરિક્રમા પૂર્ણ થાય છે, પરંતુ શિવલિંગની પરિક્રમા અર્ધચંદ્રાકાર આકારમાં કરવામાં આવે છે.અર્ઘ ચંદ્રાકાર પરિક્રમા એટલે એમ કહી શકાય કે આ પરિક્રમા અડધી છે, જે મંદિરની ડાબી બાજુથી શરૂ થાય છે, ત્યાર બાદ તે જલધારીમાં પાછી આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે?

શિવલિંગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તે શિવ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે. શિવલિંગમાં એટલી ઉર્જા છે કે તે શક્તિને શાંત કરવા માટે શિવલિંગનો જલાભિષેક કરવામાં આવે છે. તે ઉર્જા શિવલિંગ પર ચઢતા પાણીમાં પણ સમાઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવની જલધારીને ઓળંગવી ન જોઈએ અને તેથી જ શિવલિંગની અડધી પરિક્રમા કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ શિવલિંગ અપાર શક્તિનું પ્રતિક છે. શિવલિંગની નજીકમાં રેડિયોએક્ટિવ તત્વોના નિશાન પણ જોવા મળે છે. પરમાણુ રિએક્ટર કેન્દ્રના આકાર અને શિવલિંગના આકારમાં ઘણી સામ્યતા છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર લગાવેલા જળથી ભરેલા પાણીને પાર કરવાનો પ્રયાસ કરે છે તો શિવલિંગની ઉર્જા વ્યક્તિના પગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.

બીજી વાત ખાસ કે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ત્યારે જ થઈ શકે છે જ્યારે શિવલિંગ પર ચઢાવેલું જળ સીધું જમીનમાં જાય અથવા ત્યાં જલધારી ઢાંકી દેવામાં આવે. ખુલ્લા પાણી ધારકને ક્યારેય ઓળંગવું જોઈએ નહીં આમ માનવામાં આવે છે,એટલે પરિક્રમા કરતા વખતે આવી કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરુરી છે.