Site icon Revoi.in

ખાતરમાં કરાયેલો 58 ટકા જેટલો તોતિંગ ભાવ વધારો પાછો ખેંચોઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં અનેક તકલીફોનો સામનો કરી રહેલા ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપર 58 ટકાથી લઈને 46 ટકા જેવો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે કરી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ડીપીએ ખાતરમાં જુનો ભાવ 1200 હતો જે વધારીને નવો ભાવ રૂપિયા 1900 કરી દેવાયો છે. એટલે 58 ટકાનો ભાવ વધરો ઝીંકાયો છે. તેમજ એનપીકે ખાતરના જુના ભાવ 1175 હતા.જેમાં વધારો કરીને 1175 કરી દેવાયા છે. એટલે 51થી 52 ટકાનો વધારો કરાયો છે. (આ ભાવ 50 કિલોની બેગના છે)  આ ભાવ વધારાથી ખેડૂતોને ૧૪૦૦ કરોડ રૂપિયાનું ભારણ વધશે અને સરકારને GSTની ૨૫૦ કરોડની વધારાની આવક થશે. આઝાદી પછીના આટલા વર્ષોમાં ક્યારે પણ આટલો મોટો ભાવ વધારો ખાતરમાં થયેલ નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા મટીરીયલ  (રો મટીરીયલ) ની કિંમત કોંગ્રેસના શાસનમાં વધતી ત્યારે સરકાર સબસીડી વધારતી હતી પરંતુ ખેડૂતોને તો ખાતર સસ્તું જ આપવામાં આવતું હતુ. તે જ રીતે સબસીડી વધારવામાં આવે અને ખેડૂતો ખાતરના ભાવ વધારાનો ભોગ ન બને તે જરૂરી છે. હાલ જુના ભાવનું ગુજરાત પાસે જે ખાતર છે તે જુના ભાવે જ આપવામાં આવે અને નવુ ખાતર ભાવ વધારો પાછો ખેંચી ને પછી જ આપવામાં આવે તેવી માંગણી છે.