Site icon Revoi.in

PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 101મો એપિસોડ

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 101મા એપિસોડને સંબોધિત કરશે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી સંસદના નવા ભવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી શકે છે. 3 ઓક્ટોબર, 2014ના રોજ શરૂ થયેલો આ કાર્યક્રમ પીએમ મોદીની સરકારના નાગરિકો સુધી પહોંચવાના કાર્યક્રમનું મુખ્ય સાધન બની ગયું છે.

મન કી બાત એ ઘણા સામાજિક જૂથો અને મહિલાઓ, યુવાનો અને ખેડૂતો જેવા સમુદાયની ભાગીદારીના કાર્યોને પ્રેરણા આપી છે. પીએમ મોદીના રેડિયો માસિક કાર્યક્રમે 30 એપ્રિલે તેનો 100મો એપિસોડ પૂરો કર્યો. તે દેશભરમાં અને યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર સહિત વિશ્વના વિવિધ ભાગોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો વેબસાઈટ અને મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. તે ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઈવ-સ્ટ્રીમ થશે. હિન્દી પ્રસારણ પછી તરત જ ઓલ ઈન્ડિયા રેડિયો પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે

 

Exit mobile version