Site icon Revoi.in

મોરબીમાં 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Social Share

રાજકોટ:મોરબીમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2  માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોરબીથી 35 કિલોમીટર દૂર રાત્રે 11:34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

11:34 કલાકે આવેલ આંચકાના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જોકે,અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

 

 

Exit mobile version