1. Home
  2. Tag "MORBI"

કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબી ખાતે પાટિદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું,

મોરબીઃ કાજલ હિંદુસ્તાની પોતાના વિવાદાસ્પદ ઉચ્ચારણોને કારણે વિવાદમાં રહેતા હોય છે. કેટલાક દિવસ અગાઉ કાજલે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે. અગાઉ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન પાઠવી માફીની માગ કરી હતી. છતાં કાજલ હિંદુસ્તાનીએ માફી નહિ માંગતા મોરબીમાં પાટીદાર સમાજે મહાસંમેલન યોજ્યું હતું. […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 3ના મોત

અમદાવાદઃ ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ જઈ રહેલી એમ્બ્યુલન્સને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં એમ્બ્યુલના ચાલક અને દર્દીના બે સંબંધીના મૃત્યુ થયાં હતા. ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાની હોસ્પિટલમાં સારવારહ લેતા દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જેથી દર્દીના સ્વજનો તેને એમ્બ્યુલન્સમાં લઈને […]

મોરબીમાં નિર્માણધીન મેડિકલ કોલેજની ઈમારતનો એક ભાગ ધરાશાયી

અમદાવાદઃ મોરબીમાં નિર્માણધીન મેડિકલ કોલેજની ઈમારતનો એક ભાગ ધરાશયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈમારતમાં રાતના કામ ચાલી રહી હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવની જાણ થતા કોલેજના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે […]

મોરબી જિલ્લામાં બે વર્ષમાં નવા 12 ચેક ડેમોનું નિર્માણ કરાશે : રાજ્ય મંત્રી મુકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા 12 ચેકડેમનું નિર્માણ કરાશે. વિધાનસભા ખાતે મોરબી જિલ્લાના નવા ચેકડેમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં જળ સંચય થાય […]

મોરબી-કચ્છમાં નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મામાં કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય શરૂ કરાશે

અમદાવાદઃ 2047ના વિકસિત ભારતના રોડમેપને રજૂ કરતું ગુજરાતનું ઐતિહાસિક બજેટ રજૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઇએ મહિલાઓ, ખેડૂતો ,યુવાઓ અને ગરીબોને ધ્યાનમાં લઇ બજેટ રજૂ કર્યું ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અન્નદાતાઓની સમૃદ્ધિ […]

મોરબીમાં બ્રેઈન ડેડ કિશોરના અંગોનું પરિવારજનોએ કર્યું દાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેની અસર પણ લોકોના માનસ ઉપર પડી છે અને મોટી સંખ્યામાં અંગદાન કરવા માટે લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન મોરબીમાં 14 વર્ષના બ્રેઈનડેડ કિશોરના અંગોનું પરિવારે દાન કરીને અનેક લોકોને નવી જીંદગી આપી છે. મોરબીની હોસ્પિટલમાં પ્રથમવાર અંગોનું મહાદાન થયાનું ચર્ચાય રહ્યું […]

આપઘાત કરનાર પુત્રના વિરહમાં પરિવારના 3 સભ્યોએ એક સાથે જીવન ટુંકાવ્યું

અમદાવાદઃ મોરબીના વાંકાનેરમાં માતા અને બે દીકરીઓએ તેના વિરહણમાં ગળાફાંસો ખાઈના સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારના દીકરાએ તાજેતરમાં આત્મહત્યા કરીને જીવન લીલા સંકેલી લીધી હતી. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા પરિવારે તેના વિરહમાં અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેલા ખંડેખા પરિવારના […]

મોરબીના ચર્ચાસ્પદ એટ્રોસિટી કેસમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 3 આરોપીઓની ધરપકડ

મોરબીઃ શહેરના રવાપર ચોકડી નજીક ચર્ચાસ્પદ બનેલા મારામારી અને એટ્રોસિટી કેસમાં 5 આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે રદ કર્યા બાદ પોલીસે રવિવારે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે કેસમાં સોમવારે મુખ્ય આરોપી સહિતના વધુ 3 આરોપીઓને સરન્ડર કરતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યારે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. […]

મોરબીના સિરામિક ઉદ્યોગને અપાતા સીએનજી ગેસના ભાવ વધારા સામે અસંતોષ

મોરબીઃ ગુજરાત ગેસ કંપનીએ આગામી તા. 1લી નવેમ્બરથી ઉદ્યોગોને અપાતા સીએનજી ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરતા તેની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. ત્યારે સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડશે. દિવાળી ટાણે જ  કામદારોને બોનસ આપવા સહિત […]

મોરબીમાં વિધર્મીએ મંદિરને બનાવ્યું નિશાન, પુજારી અને મંદિર ઉપર પથ્થરમારો

મંદિર ઉપર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ મોરબીમાં એક વિધર્મીએ મંદિરને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. આ શખ્સે મંદિરના પુજારી સાથે તકરાર કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ આરોપીને ઝડપી લઈને આકરી કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code