- કચ્છના રાપર નજીક ભૂકંપનો આંચકો
- 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
- બપોરે 2:31 કલાકે અનુભવાયો આંચકો
- રાપરથી 13 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ
ભુજ:કચ્છમાં આજે 3.6ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો.રાપર નગરથી 13 કિલોમીટર દૂર બપોરે 2.31 કલાકે આ આફટરશોક અનુભવાયો હતો. તો આ ભૂકંપના કરને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.જોકે,આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.
અવારનવાર આવતા રહેતા ધરતીકંપના આંચકાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. જોકે તેની સીધી અસર પાકા મકાનો કે બાંધકામ પર વિશેષ જોવા મળી રહ્યો નથી. એક તારણ મુજબ વર્ષોથી કચ્છ પંથકમાં આંચકાઓ અનુભવતા રહે છે. અને ભૂકંપના કારણે જ કચ્છની ધરા અમલમાં આવી છે.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે