Site icon Revoi.in

મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:મ્યાનમારમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકા યવાનગાનમાં અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.

કેન્દ્રના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 7.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના પછી લોકો તરત જ ઘરની બહાર આવી ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. જો કે આંચકાના કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

Exit mobile version