Site icon Revoi.in

નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 5.3 ની તીવ્રતા નોંધાઈ  

Social Share

કાઠમાંડુ : નેપાળના પોખરામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ, વહેલી સવારે 5:42 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર લામજંગ જિલ્લાના ભુલભુલે ખાતેથી મળી આવ્યું છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી.

નેપાળમાં આવેલ ભૂકંપના આંચકા સરહદને અડીને બિહારમાં પણ  અનુભવાયા છે. બિહારના સરહદી વિસ્તારોમાં તીવ્ર આંચકા અનુભવાયા છે. હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે. આ અગાઉ 28 એપ્રિલના રોજ કાઠમાંડુ ઘાટીમાં રિક્ટર સ્કેલ પર 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.