Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 8934 કેસ નોંધાયા, અમદાવાદમાં 3309 કેસ, રાજ્યમાં 34 નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે બુધવારે ઘટાડો નોંધાયો હતો. આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 8934  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3309 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 34 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 10,  સુરત શહેર -2, અને જિલ્લામાં -2, વડોદરા શહેર-3 અને જિલ્લો-1, રાજકોટ શહેરમાં- 4 અને જિલ્લામાં-1, અને  તેમજ મહેસાણા-1, ભરૂચ-3,  ગાંધીનગર જિલો- 1, ભાવનગર શહેર-1, નવસારી-1, સુરેન્દ્રનગર-1, જામનગર શહેર-1 અને જિલ્લો-1, બોટાદ-1, નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,73,065  લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,86,55,466 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 93.23 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા થોડો વધારો નોંધાયો હતો. અને  મૃત્યુમાં ગઈકાલ કરતા થોડો ઘટાડો થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે વધારો નોંધાયો હતો. ગઈકાલે મંગળવારે રાજ્યમાં કોરોનાના 8338  કેસ નોંધાયા હતા. આજે બુધવારે 8934 કેસ નોંધાતા 596 કેસનો વધારો થયો છે. રાજ્યમાં આજે 15177 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 69187 છે. જેમાં વેન્ટીલેટર પર 246 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 68941 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 8934 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 3309 કેસ, સુરત શહેરમાં 265 કેસ, વડોદરા શહેરમાં 1512,  અને જિલ્લામાં 409 કેસ, આણંદમાં 142  કેસ, કચ્છમાં 224 કેસ, રાજકોટ શહેરમાં 320 કેસ, ખેડામાં 129, કેસ  ભરૂચમાં 222  કેસ, અમદાવાદ જિલ્લામાં 59  કેસ, ગાંધીનગર શહેરમાં 279 કેસ, અને જિલ્લામાં 152, રાજકોટ જિલ્લામાં 158, કેસ, ભાવનગર શહેરમાં 97 કેસ અને જિલ્લામાં 8 કેસ, જામનગર શહેરમાં 81 કેસ, તેમજ સાબરકાંઠામાં 95 અને બનાસકાંઠામાં 146 કેસ, પાટણમાં 189, અને સુરેન્દ્રનગરમાં 33 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  34નાં મોત નિપજ્યા હતા.

 

Exit mobile version