1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના એસટીના કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, સરકારે કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે અગાઉ રાજ્ય સરકારને રજુઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ જ એસટી નિગમના કર્મચારીઓને પણ 42% મોંઘવારીનો લાભ આપવાની માંગણી સાથે કર્મચારીઓની સંકલન સમિતિએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ઉપરાંત મોંઘવારી ભથ્થા સહિતની અન્ય માંગણીને લઈને વિરોધ કાર્યક્રમ પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. […]

ગુજરાતમાં સેમિકન્ડકટર સેકટર દ્વારા 5 વર્ષમાં બે લાખથી વધુ નોકરીઓનું સર્જન કરાશે

ગાંધીનગરઃ  ગુજરાતને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે, રાજ્યમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (2022-28) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (2022-27) માટે રાષ્ટ્રીય નીતિની શરૂઆત કરવામાં આવી છે. વિવિધ નીતિઓનો અમલ કરીને સમગ્ર દેશમાં વધુ શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે સેમિકન્ડક્ટર સેક્ટર માટે ડેડિકેટેડ […]

ગુજરાતમાં સ્ટેટ GSTના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન ઉકેલાતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદઃ ગુજરાતના સ્ટેટ જીએસટીના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંગળવારે રાજ્યની તમામ જીએસટી કચેરીઓના પટાગણમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્ટેટ જીએસટી વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ ત્રણ જેટલી માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. સ્ટેટ GST વિભાગ કર્મચારી મંડળના કર્મચારીઓએ સરકાર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. એસજીએસટી કર્મચારી એસોસિએશન […]

ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલા મહેતાનું 96 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM, અને CMએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ ગુજરાતના ખ્યાતનામ  ફોટા જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું  96 વર્ષની ઉંમરે  નિધન થયું છે. જાણીતા અખબાર ગુજરાત સમાચાર સાથે વર્ષોથી જોડાયેલા હતા. અને તેમની કારકિર્દી દરમિયાન ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. સ્વર્ગસ્થને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો અને રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી, […]

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની […]

ગુજરાતમાં ડિસેમ્બરમાં પડશે ફુલ ગુલાબી ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

આગામી દિવસોમાં તાપમાનનો પારો 3 ડીગ્રી જેટલો ઘટશે હાલ કમોસમી વરસાદ થવાની શકયતાઓ નહીવંત અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવે રાજ્ય ઉપર હાલની સ્થિતિએ માવઠાનું કોઈ સંક્ટ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. તેમજ આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં હાર્ડ થીજવતી ઠંડી […]

ગુજરાતમાં માવઠા બાદ હવે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આફત સમી જતાં હવે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે, અને ડિસેમ્બરથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે.હાલ ઉત્તર-પૂર્વીય ઠંડાબોળ પવનોને કારણે ઠંડીમાં વધારો થશે. એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા હતા. શિયાળાના પ્રારંભે  વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા કૃષિપાકને પણ […]

ગુજરાતઃ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાશે

અમદાવાદઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન ખેડૂતોને મદદ કરવાની દિશામાં કવાયત તેજ કરી છે. તેમજ ખેડૂતોના પાકને થયેલા નુકશાનીનો સર્વે કરવાનો આદેશ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ […]

ગુજરાતમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદને પગલે મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલને પગલે ઠંકડ ફેલાઈ છે. બીજી તરફ રાજ્યમાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વખતે વિજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં 24થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતો […]

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એક જ ફોર્મથી ઓનલાઈન પ્રવેશ મળશે

અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24નું અંડર ગ્રેજ્યુએટનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે  શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષ 2024-25ના અંડર ગ્રેજ્યુએટના પહેલા સેમેસ્ટરના એડમિશન તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024-25થી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન એક જ ફોર્મ ભરવાનું રહેશે. […]