1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં નવી 665 દવાનો ઉમેરો

અમદાવાદઃ રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) ૨૦૨૪-૨૫માં નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  જણાવ્યું હતું કેઅગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૩૮૨ થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર, મૃત્યુઆંક 44ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં 44 દર્દીઓનાં મૃત્યુ થયા છે.  ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 124 કેસ નોંધાયા છે. હાલમાં, ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 54 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 26 દર્દીઓને રજા આપવામાં […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 54 ટકા વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી 8નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોર સુધીમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં તાપી, ડાંગ, મહિસાગર, નર્મદા સહિત જિલ્લાઓમાં સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 54 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જોકે રાજ્યના 8 તાલુકામાં સીઝનનો બેથી 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 82 […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને બીજીબાજુ વરસાદી સીઝનને લીધે વાયરલ બિમારીના કેસ વધ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદી સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. તે બીજીબાજુ ચાંદીપુરા વાયરસ પણ વકરી રહ્યો છે. તેના લીધે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોની સરકારી અને ખાનગી  હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘેર ઘેર […]

ગુજરાતના 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૦૬ ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૨.૯૬ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ […]

ગુજરાતમાં તમામ શાળાઓને ફાયર એનઓસી 30 દિવસમાં મેળવી લેવા સ્કૂલ કમિશનરે કર્યો આદેશ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય બન્યું છે. ગુજરાતની તમામ સ્કૂલોને આગામી 30 દિવસમાં ફાયર અને એનઓસી મેળવી લેવા માટે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ : રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં 9,35,000 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં ગુજરાતમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ છે. ચાલુ ખરીફ સીઝનમાં નવા 18,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક કૃષિ માટે કાર્યરત ઉચ્ચ અધિકારીઓ અને સંયોજકોની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કેન્દ્રીય બજેટ સ્પીચમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા […]

ગુજરાતમાં બપોર સુધીમાં 167 તાલુકામાં વરસાદ, બોરસદમાં 13 ઈંચ, તિલકવાડા અને ભરૂચમાં 7 ઈંચ,

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મુકામ કર્યો છે. આજે બોરસદમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સાંબેલાધારે 13 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નર્મદાના તિલકવાડા અને ભરૂચમાં પણ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ છોટા ઉદેપુરના નસવાડી, ભરૂચના ઝઘડિયા અને હાંસોટ, નર્મદાના નાંદોડ સહિત તાલુકાઓમાં 5 ઈંચ વરસાદ […]

ગુજરાતમાં સામાજિક વનીકરણની વધુ એક સિદ્ધિ, વૃક્ષોની કુલ સંખ્યા 39 કરોડને પાર

અમદાવાદઃ ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવા નાગરિકો પણ સહભાગી થઇ શકે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક પ્રયાસો થકી રાજ્ય વધુ હરિયાળું બની રહ્યું છે.   રાજ્યમાં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણને ધ્યાને રાખીને વન […]

ગુજરાતમાં 31 જળાશયો હાઈએલર્ટ પર, સરદાર સરોવર નર્મદા ડેમ 55 ટકા ભરાયો

ગાંધીનગર:  રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 1,83,724 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code