1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ મે મહિનામાં સૌથી વધારે અંગદાન, 58 લોકોને નવજીવન મળ્યું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. જેથી લોકો બ્રેનડેડ દર્દીના અંગદાન કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન એક મહિનામાં રાજ્યમાં 19 વ્યક્તિઓના અંગોનું દાન થયું છે. જેથી 58 દર્દીઓને નવજીવન મળ્યું છે. બીજી તરફ લોકો અંગદાન પ્રત્યે જાગૃત બને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દાનમાં મળેલા […]

ગુજરાતઃ જળસંચય અભિયાન હેઠળ 104 દિવસના અંતે 23 હજારથી વધુ કામો પૂર્ણ

અમદાવાદઃ રાજ્યમાં 17 ફેબ્રાઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ આજે 31 મે ના રોજ પૂર્ણ થયું છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 104 દિવસના અંતે તા. 31 મી મે સુધીમાં 23,860 કાર્યો પૂર્ણ થયા છે. 104 દિવસના આ […]

ગુજરાતઃ RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા

અમદાવાદઃ રાજ્યમાં RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. તેમજ આરટીઈ હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રદેશ રદ કરવામાં આવ્યાં છે. તેમ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું […]

ગુજરાત તેલીબીયાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમસ્થાને, શાકભાજી, ફળફળાદીમાં પાંચમા સ્થાને

અમદાવાદઃ ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં નર્મદાની સિંચાઈનો લાભ મળતા મોટાભાગના ખેડુતો હવે ખરીફ, રવિ, અને ઉનાળું પાકનું સારૂએવું ઉત્પાદ મેળવી રહ્યા છે. જેમાં તેલીબીયા તથા ફાઈબરના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ડંકો યથાવત રહ્યો છે અને સમગ્ર દેશમાં ઉત્પાદનમાં પ્રથમ નંબરે રહ્યું છે. જો કે, ખાંડ, કઠોળ, ફીશરીઝ, વન્ય ચીજો વગેરેના ઉત્પાદનમાં […]

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાયો, મકાનોના પતરા ઉડ્યાં,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે મંગળવારે સવારથી જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તોફાની પવન ફુંકાયો હતો. તેમજ  સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદના ઝાંપટાં પડ્યા હતા. ભારે પવનને લીધે […]

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 7531 શિક્ષકોની જગ્યા ખાલી, છતાં ભરતી કરાતી નથી

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અલગ અલગ વિષયોના 7531 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તેમ છતાં ગત વર્ષ-2019થી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આથી ટાટ પાસ ઉમેદવારોની માન્યતા પૂર્ણ થવામાં એક વર્ષ બાકી રહ્યું હોવાથી તાકિદે ભરતી કરવાની […]

રાજ્યના અનુસૂચિત જાતિના 803 લાભાર્થીઓની રૂ. 25.13 કરોડના યોજનાકીય લાભો માટે પસંદગી

અમદાવાદઃ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે અને રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝડ ડ્રો ગાંધીનગર ખાતે યોજાયો હતો. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની ભારત સરકારના […]

ગુજરાતમાં 48 જેટલાં નાના-મોટા શહેરોમાં મધ્યમાં આવેલી GIDC ખસેડવા સરકારની વિચારણા

ગાંધીનગરઃ ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં 225 જેટલી જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણા શહેરોમાં તો વર્ષોથી જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણાબધા લઘુ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. વર્ષો પહેલા જીઆઈડીસી જે તે શહેરની બહાર સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ શહેરોમાં વસતીમાં વધારો થતાં તેનો વિસ્તાર પણ વધ્યો છે. એટલે આજે હાલત એવી થઈ છે. કે જીઆડીસી શહેરની મધ્યમાં […]

ગુજરાતમાં છૂટાછેડાના કેસમાં વધારો, ફેમિલી કોર્ટમાં 34000થી વધુ કેસ પેન્ડિંગ

અમદાવાદઃ ભારતિય સંસ્કૃતિ મુજબ લગ્ન જીવન એ  સાત જન્મનું ઋણાનુંબંધ ગણાય છે. જમાનાની સાથે આજે સંયુક્ત કુટુમ્બમાંથી વિભક્ત કુટુમ્બો વધતા જાય છે. એટલે પતિ-પત્ની અલગ રહેતા હોવા છતાં બન્ને વચ્ચે  મતભેદો અને વૈમનસ્ય સર્જાતુ હોય છે. સાથે જ એકબીજાને સમજવાની અને સહન કરવાની શક્તિના અભાવને લીધે સાંપ્રત સમયમાં છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે. ઘણા દંપત્તીઓ […]

ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં 4.52 લાખ ખેડુતોએ ખોટો લાભ લીધો

ગાંધીનગર:  ખેડુતોને આર્થિકરીતે સહાયરૂપ બની શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મુકી હતી. અને સમયાંતરે ખેડુતોના બેન્ક ખાતામાં 2000ની સહાય આપવામાં આવતા હતા, ગુજરાતમાંથી 67 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે. જેમાં વર્ષ 2022-23ના વર્ષમાં  60.14 લાખ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપતો જમા થયો હતો.  જેમાં 4.52 લાખ ખેડૂતોએ […]