Site icon Revoi.in

તમિલનાડુના કુડ્ડલોરમાં સરકારી બસ અકસ્માતમાં 9 ના મોતની આશંકા

Social Share

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Bus accident in Tamil Nadu તમિલનાડુના કુડ્ડલોરમાં, એક સરકારી બસનું ટાયર ફાટવાથી તે બે વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં 9 લોકોના મોતની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે પર ટાયર ફાટ્યું હતું.

તમિલનાડુના કુડ્ડલોરમાં એક સરકારી બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને બે વાહનો સાથે અથડાતાં 9 લોકોના મોતની આશંકા છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત ટાયર ફાટવાને કારણે થયો હતો.

તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહેલી એક સરકારી બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જઈ રહી હતી, ત્યારે અચાનક ટાયર ફાટતાં તે દિશા બદલીને રોડ ડિવાઈડર પર ચઢી ગઈ અને વિરુદ્ધ દિશામાં ગઈ.

વધુ વાંચો: કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત

9 લોકોના મોતની આશંકા, ઘણા ઘાયલ

એક જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલા બે વાહનો સાથે બસનો સામસામે અકસ્માત થયો હતો; બંને ખાનગી વાહનોમાં સવાર નવ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે તેમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો ઘાયલ થયા છે.

વધુ વાંચો: અમિત શાહનું નવું મિશન, 2029 સુધીમાં ડ્રગ કાર્ટેલને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ

Exit mobile version