Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના વધુ 937 કેસ નોંધાયા, અમદાવાદમાં 304 લોકો સંક્રમિત, વધુ એક દર્દીનું મોત

Social Share

ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શનિવારે 937 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 304 કોસ નોંધાયા છે. અને એક વ્યક્તિનું કોરોનાને લીધે મોત નિપજ્યું હતું. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 5470 છે, જેમાં 11 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 5459 વ્યક્તિઓ સ્ટેબલ છે.

રાજ્યમાં શનિવારે કોરોના કેસમાં ફરી વધારો થયો હતો. અને 937 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 745 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદમાં કોરોનાને લીધે વધુ એક દર્દીઓનું મોત નિજ્યું હતું. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.68 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5470 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5459 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,31,215 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 304 કેસ નોધાયા હતા, અને એકનું મોત નિપજ્યું હતું. વડોદરા શહેરમાં 83, મહેસાણા 66, ગાંધીનગર જિલ્લામાં 45, સુરત શહેરમાં 45, વડોદરા જિલ્લામાં 36, ગાંધીનગર શહેરમાં 34, સાબરકાંઠા 32, રાજકોટ શહેરમાં 27, બનાસકાંઠા 24, ભાવનગર શહેરમાં 24, સુરત 24, વલસાડ 21, કચ્છ 20, રાજકોટ જિલ્લામાં 19, આણંદ 14, જામનગર શહેરમાં 14, પાટણ 14, નવસારી 13, મોરબી 12, અમરેલી 19, પોરબંદર 10 એમ કુલ 937 કેસ નોંધાયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં શનિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,01,991 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1918 ને રસીનો પ્રથમ અને 5059 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 121 ને રસીનો પ્રથમ અને 1625 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 36555 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1484 ને રસીનો પ્રથમ અને 2392 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 252837 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,36,92,205 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.