Site icon Revoi.in

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે રવિવારે વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજાશે

Social Share

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું છે કે ખાતર, પાણી, MSP, બેંકો પાસેથી લોન અને વળતરના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં જેટલું કર્યું છે તેનાથી વધુ કોઈ સરકારે ખેડૂતો માટે કર્યું નથી.

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે ખેડૂતોના સંગઠનોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું હતું અને અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. તેમણે કહ્યું કે આગામી તબક્કાની વાતચીત રવિવારના રોજ નક્કી કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મંત્રણામાં સારું વાતાવરણ રહેશે અને તેઓ મુદ્દાઓને ઉકેલવા તરફ આગળ વધશે.