Site icon Revoi.in

સાયલા નજીક હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, દંપત્તીનું મોત

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પૂર ઝડપે આવી રહેલી ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી મારીને રોડ સાઈડના 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતામાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની પોલીસ સૂત્રોમાંથી એવી વિગતો જાણવા મળી છે. કે, સાયલા-રાજકોટ હાઈવે ઉપર ઈકોકારનું  ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં વૃદ્ધ દંપતીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. રાજકોટ તરફથી આવતી ઇકો કારનું સાયલાના મોડલ સ્કૂલ પાસે પહોંચતા ટાયર ફાટયું હતું. જેથી કાર પલટી મારીને હાઇવે પરથી સાઈડમાં 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતના બનાવની  જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી દરેકને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યાં હતાં. રીફર કરતાં સમયે રસ્તામાં નટવરભાઈ બાબુભાઈ મકવાણા (ઉં.વ.60) અને લતાબેન નટવરભાઈ મકવાણા(ઉં.વ.60)(બન્ને રહે. ધાંધલપુર)નું મૃત્યુ નિપજ્યું હતું.
જેથી તેમને પીએમ અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવાયાં હતાં.

આ અકસ્માતમાં કંચનબેન ગેલાભાઈ મકવાણા (રહે. ધાંધલપુર), જેઠાભાઈ માત્રાભાઈ કલોત્રા (ઉં.વ.45,રહે. ભાડુકા), વિનય ચાવડા (ઉં.વ.39, રહે.મુંબઈ), ઈશ્વરીબેન વિનયભાઈ ચાવડા (ઉં.વ.36,રહે.મુંબઈ) અને ધુ્રવ વિનયભાઈ ચાવડા (ઉં.વ.8,રહે. મુંબઈ)ને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં.  અત્રે ઉલ્લેખનીય છે. કે, મૃતક વૃદ્ધ દંપતી ધાંધલપુર ગામેથી સાયલા આંખની હોસ્પિટલ ખાતે આંખ બતાવવાના કામે જઈ રહ્યાં હતાં. (file photo)