Site icon Revoi.in

રામનવમીના દિવસે JNUમાં એબીવીપી અને લેફ્ટિસ્ટ્સ વચ્ચે બબાલ

Social Share

દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી એટલે JNU કે જે હંમેશા કોઈના કોઈ વિવાદોમાં સામે આવતી હોય છે હવે ફરીવાર એવુ થયું કે જેમાં JNUમાં ભણતા લેફ્ટિસ્ટ્સ લોકોએ એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ કરી અને બબાલ કરી.

વાત એવી છે કે જેએનયુમાં કાવેરી હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓએ રામનવમીના દિવસે કેમ્પસમાં હવન-પૂજાનું આયોજન કર્યુ હતું પણ આ દિવસે જેએનયુમાં લેફ્ટિસ્ટ્સ દ્વારા એબીવીપીના વિદ્યાર્થીઓના લાગણીને ઠેસ પહોંચે તેવું કામ કરવામાં આવ્યું હતું અને નોનવેજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે લેફ્ટિસ્ટ્સ દ્વારા કહેવામાં આવ્યું કે તેમને માંસ ખાવાથી રોકવામાં આવી રહ્યાં છે.

જો કે ઉલ્લેખનીય છે કે જેએનયુમાં ચાર ચોપડી વાંચીને એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે દેશમાં કેટલીક વસ્તુઓ યોગ્ય નથી ચાલી રહી અને તે લોકો દેશ અને સરકાર વિરુદ્ધ કૃત્ય કરતા હોય છે. જેએનયુ એ સંસ્થા છે કે જ્યાં ભારત વિરોધી નારા અને અવાજ હંમેશા ઉઠતા રહેતા હોય છે.