Site icon Revoi.in

અભિનેત્રી કિરણ ખૈરને થયો કોરોના, લોકોને કોરોના સામે સાવચેત રહેવા કરી અપીલ

Social Share

મુંબઈઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં દેશના એનેક રાજ્યો માં સંક્રમણ વધતો જઈ લહ્.ો છએ જેમા મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે ત્યારે હવે મુંબઈમાં કોરોનાના વધતા રકેસો વચ્ચે અભિનેત્રી કિરણ ખૈરને પણ કોરોના થયો હોવાની માહિતી સામે આવી છે.

 કોરોનાએ ફરી એકવાર બોલીવુડના કોરિડોરમાં  એન્ટ્રી કરી લીધી છે સાથએ જ હવે  કોરોના ફરી એક વખત વિસ્ફોટ કરે તેવી સંભાવના છે અને તેના ખિસ્સામાં અભિનેત્રી અને નેતા કિરણ ખેર આવી ગયા છે. રાજકારણી કિરણ ખેરે કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ કર્યો છે અને તે પોઝિટિવ આવતાની સાથે જ લોકોને એલર્ટ રેહવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અનુપમ ખેરના પત્ની પોતાની એક્ટિંગ અને બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. કિરણ ખેર પણ રાજકારણમાં ખૂબ એક્ટિવ  રહેતા રાજનેતા છે. કિરણ ખેર ચંદીગઢના સાંસદ છે અને ખૂબ જ સક્રિય રહે છે, તેમણે પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિતેલા દિવસે તેમના વિશે તેમણે આ વાત શેર કરી હતી.
કિરણે ટ્વિટર પર લખ્યું, “હું કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એટલા માટે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારો ટેસ્ટ કરાવો. કિરણ ખેરને કોરોના સંક્રમિત થયાની માહિતી મળ્યા પછી, ચાહકોએ તેણીના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.