Site icon Revoi.in

વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદી ઈસરોની લેશે મુલાકાત,વૈજ્ઞાનિકો સાથે કરશે વાતચીત

Social Share

બેંગલુરુ: ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર (વિક્રમ)નું સફળતાપૂર્વક ઉતરાણ કરવા અને ત્યાં રોવરને તૈનાત કરીને ઇતિહાસ સર્જવા બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટે બેંગલુરુ પહોંચશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આર અશોકે ગુરુવારે જણાવ્યું હતું કે, કર્ણાટક ભાજપ એક વિશાળ રોડ શોનું આયોજન કરીને વડા પ્રધાનના ભવ્ય સ્વાગતની યોજના બનાવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી 26 ઓગસ્ટે આવી રહ્યા છે. અમે મોટી સંખ્યામાં હાજર રહીશું અને તેમનું સ્વાગત કરીશું અને એચએએલ એરપોર્ટ પર 6000 થી વધુ લોકો એકઠા થશે. તે બેંગલુરુના લોકોને સંબોધન કરે તેવી પણ સંભાવના છે. અમારા (ભાજપ) રાષ્ટ્રીય નેતા સંતોષજી (મહાસચિવ બી એલ સંતોષ)એ મને પિન્યામાં એક વિશાળ રોડ શોનું આયોજન કરવાનું કહ્યું છે.

અશોકે વાતચીતમાં કહ્યું,વડાપ્રધાનએ બેંગલુરુના લોકોને તક આપી છે કે તે પોતાની ખુશીઓને તેમની સાથે શેર કરે. તેમણે કહ્યું, “અમે બેંગલુરુના લોકો, મોદીનું ભવ્ય સ્વાગત કરીશું કારણ કે ઇસરોનો અર્થ બેંગલુરુ છે અને બેંગલુરુનો અર્થ એટલે ઇસરો છે. તે અહીં ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા માટે આવી રહ્યા છે. ‘ જો કે વડાપ્રધાનની મુલાકાતની વિગતો શેર કરવામાં આવી નથી, પરંતુ તેઓ વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ એજન્સીના અધિકારીઓને અભિનંદન આપવા માટે અહીં ઇસરો કેમ્પસમાં સ્થિત ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લે તેવી સંભાવના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઈસરોના ચેરમેન એસ.સોમનાથને ચંદ્રયાન-3 મિશનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ સમગ્ર ટીમને આવકારવા બેંગલુરુમાં આવશે. તેમણે જોહાનિસબર્ગથી સોમનાથ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને ફોન પર વાતચીત પહેલા ચંદ્રયાનને વર્ચ્યુઅલ માધ્યમથી ચંદ્ર પર ઉતરતું જોયું હતું.