Site icon Revoi.in

લો બોલો, અમદાવાદમાં ભર ઉનાળે રસ્તા ઉપર ભુવો પડ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવતી હોય છે પરંતુ મેગાસિટી અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા ઉપર ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર ચાર રસ્તા પાસે ખાડો પડતા વાહન ચાલકોને ભારે હાકાલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ મનપા દ્વારા બેરીકેટ લગાવીને ખાડાને હાલ કવર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા પાસે કોર્પોરેટરની ઓફિસ પાસે જ રસ્તા ઉપર ખાડો પડ્યો હતો. બાપુનગર ચાર રસ્તા પાસે 3 દિવસથી ખાડો પડ્યો હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયાં છે. આ બનાવને પગલા મનપાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ખાડાની આસપાસ બેરિકેટ ગોઠવ્યાં હતા. બેરીકેટના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી રાહદારીઓની માંગ છે કે સત્વરે કોર્પોરેશન દ્વારા આ ખાડો પુરવામાં આવે. રસ્તાની વચ્ચે બેરિકેટને પગલે પીકઅવર્સમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે. મનપાની કામગીરીને પગલે સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે. શહેરમાં ચોમાસાની સિઝનમાં માર્ગ ઉપર ભુવા પડવાની ઘટના સામે આવે છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા વચ્ચે ખાડો પડવાની ઘટનાને તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.