અમદાવાદમાં પાણી અને ગટર સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વોર્ડ ઈજનેરો સામે પગલા ભરાશે
અમદાવાદઃ શહેરનાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીમાં પોલ્યુશન, પ્રેશર ઓછુ અને ગટર બેક મારવાની સમસ્યા વારંવાર સર્જાય છે, ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. આથી હવે રોડ.પાણી, ગટર સહિતની ફરિયાદોનો યોગ્ય સમયમાં ઉકેલ કરવામાં નહીં આવે તો તેના માટે વોર્ડ-ઝોનનાં ઇજનેરો સામે પગલાં લેવાની ભલામણ એએમસીના વોટર કમિટી ચેરમેને કરતા વોર્ડ અને ઝોનના અધિકારીઓમાં ફફડાટ […]