Site icon Revoi.in

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા

Social Share

અમદાવાદઃ ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે શહેરમાં હાલ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોર ગરમી અને રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવાઈ રહી છે. બીજીબાજુ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાયા છે.  એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાંભાના યુવકનું ડેન્ગ્યૂને કારણે મોત નિપજ્યું હતુ. બેવડી ઋતુને કારણે વાઈરલ ફીવરના કેસો પણ વધી રહ્યાં છે. પૂર્વ વિસ્તારમાં રામોલ-હાથીજણ અને વટવા વોર્ડમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે.

AMCના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યૂના કારણે એક મોત નોંધાયું છે. ઓક્ટોબર મહિનામાં 8 દિવસમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 110 જેટલા કેસો નોંધાયા હતા. જ્યારે મેલેરિયાના 12 કેસો નોંધાયા હતા. પાણીજન્ય રોગોમાં ઝાડા ઊલટીના 90 કેસો, ટાઇફોઇડના 104 અને કમળાના 23 કેસો  નોંધાયા છે. જ્યારે કોલેરાના 05 કેસો નોંધાયા છે. કોલેરાના કેસોમાં અચાનક જ વધારો થયો છે. શહેરમાં ચોમાસા બાદ મછરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.ઑક્ટોબર મહિનાનાં પ્રથમ 10 દિવસમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં સતત ડેન્ગ્યૂના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. શહેરના શાહવાડી વિસ્તારના 26 વર્ષના પુરુષનું ડેન્ગ્યૂના કારણ મૃત્યુ થયુ છે. ડેન્ગ્યૂની લાંબી સારવાર બાદ આ વ્યક્તિનું મોત થયુ છે. છે. છેલ્લા 8 દિવસમાં ડેન્ગ્યૂના 110 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે,  મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોમાં પણ વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક અર્બન હેલ્થ સેન્ટર પર રોજના અંદાજે 15થી 20 એટલે કે તમામ UHC અને CHCમાં કુલ રોજના 1200 જેટલા કેસો નોંધાઈ રહ્યાં છે. તમામ સેન્ટરો પર દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટ્રિગર ડ્રાઈવ અને અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.