Site icon Revoi.in

એશ્વર્યા રાય બચ્ચને તેની અપકમિંગ મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલવન’નું પોસ્ટર શેર કર્યું -જાણો ક્યારે થશે રિલીઝ

Social Share

મુંબઈઃ બોલિવૂડની વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચને લાંબા સમયથી ફિલોમથી દૂર જોવા મળે છે,તેના ચાહકો તેને ફિલ્મમાં જોવા માટે ઘણા ઉત્સુક છે, ત્યારે એશ્વર્યાએ એ તેની અપકમિંગ ફિલ્મની ઘોષણા કરીને દર્શકોના ઈન્તઝારનો અંત આપ્યો છે.એશ્વર્યા મણિરત્નમ ફિલ્મ પોન્નિયિન સેલવનથી ફિલ્મી દુનિયા તરફ પરત ફરી રહી છે,દર્શકો ફરી એક વખત તેને ફિલ્મી પરદે જોઈ શકશે.

આ મોટા બજેટની ફિલ્મ એક ફેન્ટસિ ડ્રામા ફિલ્મ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાંઓશ્વર્યાએ લખ્યું છે કે – ‘સુનહેરો દોર જીવનમાં આવી રહ્યો છે, મણિરત્નમનો પોન્નીયિન સેલ્વન પીએસ 1’.

આ ફિલ્મ બે ભાગોમાં રિલીઝ થશે, તેનો પ્રથમ પાર્ટ વર્ષ 2022માં આવશે,એશ્વર્યા રાય ઉપરાંત એક્ટર વિક્રમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે . આ બંને અગાઉ મણિરત્નમની ફિલ્મ રાવણમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય જયમ રવિ, વિક્રમ પ્રભુ, ત્રિશા કૃષ્ણન અને મોહન બાબુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એઆર રહેમાન આ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છે. આ ફિલ્મનું નિર્માણ લાઈકા પ્રોડક્શન અને મણિરત્નમ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી લાંબા ગાળા બાદ એશ્વર્યા ફિલ્મ તરફ પાછી વળી રહી છે.જેને લઈને લોકોમાં ભારે ઇત્સાહ જોવા મળે છે,તેણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શરે કરતા એનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.