Site icon Revoi.in

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 5મી નવેમ્બરથી ભુજ ખાતે યોજાશે

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિવર્ષ દિવાળી પર્વે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે. જેના ભાગરૂપે આ બેઠક ગુજરાતના ભુજ ખાતે તા. 5થી 7મી નવેમ્બર સુધી યોજાશે. આ બેઠકમાં સંઘના કાર્યવિસ્તાર સહિતની બાબતો પર ચિંતન થશે. સંરસંઘચાલક ડો.મોહનજી ભાગવતજીનું તા. 31મી ઓક્ટોબરના રોજ ટ્રેન મારફતે ભુજમાં આગમન થશે, તેમજ 8મી નવેમ્બર સુધી કચ્છમાં રોકાણ કરશે.

ભુજમાં મળનારી આ બેઠકમાં સરસંઘસાવક ડો.મોહનજી ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબલે ઉપરાંત સંઘના પાંચ સહ-સરકાર્યવાહ તેમજ અખિલ ભારતીય કાર્યકારણીના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સદસ્યો સંઘચાલક, કાર્યવાહ અને પ્રચારક પણ પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત અખિલ ભારતીય સ્તરની જેમની જવાબદારી છે એવા પ્રચારકો પણ આ બેઠકમાં પણ ભાગ લેશે. આમ કુલ મળી અને દેશભરમાંથી લગભગ 400થી વધારે કાર્યકર્તાઓ ભુજમાં કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યા સંકુલ (ભુજ)માં આ ત્રિ-દિવસીય બેઠકમાં ભાગ લેશે.