Site icon Revoi.in

રાજ્યમાં ધો.12 સુધીની તમામ શાળાઓ 31મી જુલાઈ સુધી સવારની પાળીમાં ચાલશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, અને હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાથમિક સ્કૂલોની જેમ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય પણ સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીના સંયુકત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડા દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં 31 જુલાઈ સુધી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય સવારનો રહેશે. આમ, હવે 31 જુલાઈ સુધી ધોરણ 1થી લઈને 12 સુધીની તમામ શાળાઓનો સમય સવારનો રહેશે. કોરોના અને આચાર્ય સંઘ તથા સંચાલક મંડળની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોનામાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે, ત્યારે ચાર દિવસ પહેલા જ પ્રાથમિક માધ્યમની સ્કૂલો જે બપોરે ઓનલાઇન ચાલતી હતી. તે સ્કૂલો સવારે ઓનલાઇન ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. અલગ અલગ સંચાલક મંડળ તથા RTE એડમિશનની પ્રક્રિયાના આધારે 31 જુલાઈ સુધી સવારની રહેશે જે બાદ ફરીથી બપોરના સમયે ચાલુ રહેશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શાસનાધિકારીને પત્ર લખી જાણ કરી હતી. જેમાં તમામ પ્રાથમિક શાળાઓનો સમય 31 જુલાઈ સુધી સવારનો રાખવાનો નિર્ણય કરાયો હતો. RTEની જોગવાઈઓને ધ્યાને લઈને તમામ શાળાઓનો સમય સવારનો રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

                  ( ફોટોઃ સોશ્યલ મીડિયા)