1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

અમદાવાદ: દિનેશ હૉલ ખાતે આયોજિત ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતીય ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે. આઝાદીના અમૃત કાળમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આપણે સૌ કટિબદ્ધ […]

મહાન ભારતના નિર્માણને સિદ્ધ કરવાની અને તેને સફળ બનાવવાની જવાબદારી વિદ્યાર્થીઓ-યુવાનોની: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચોથા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અમિત શાહે તેમના સંબોધનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દે અને વિદ્યાર્થીઓ જીવનના ધોરણે પોતાના વિકાસ દ્વારા દેશના વિકાસમાં મોટો ફાળો આપે તે સુનિશ્ચિત કરે. તેમણે […]

નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, રાષ્ટ્રવાદ અને માતૃભાષાનો સંગમ : અમિત શાહ

વડોદરા: એમ. એસ. યુનિ.નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવપદવીધારકોને પોતાના વિકાસ સાથે દેશના વિકાસનું લક્ષ્ય લઈને આગળ વધવા માટે હાંકલ કરી હતી. સમગ્ર દેશ અને દુનિયાને પોતાના જ્ઞાન થકી આગળ લઈ જવા માટે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આજે તમે વિદ્યાર્થી […]

વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી: હર્ષ સંઘવી

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ખુલ્લી જીપમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતોષદેવી દિનેશચંદ્રજી અગ્રવાલ સર્વોદય લો કોલેજ, શ્રીમતી ભવરીદેવી રામેશ્વરજી અગ્રવાલ સર્વોદય […]

દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં

દાહોદ:  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. મહેસુલ વિભાગથી લઈને ગૃહ વિભાગ અને હવે તો શિક્ષણ વિભાગમાં પણ વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે, તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક  પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને […]

ગોધરા તાલુકાની શાળાઓમાં RO પ્લાન્ટ ફિટ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને 86 લાખનું ચુકવણું

ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રુપિયાના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. જે આરો મશીનના કામોમાં ગેરરીતિની આંશકા થતાં નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા તાલુકાની […]

ગુજરાત સરકારે બે વર્ષમાં સ્વનિર્ભર 359 પ્રાથમિક અને 135 માધ્યમિક શાળાઓને આપી મંજુરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન 29 જિલ્લામાં કેટલી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી. જયારે 359 ખાનગી પ્રાથમિક શાળાઓને અને 135 ખાનગી માધ્યમિક […]

વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત વિષયને ગીતોના માધ્યમથી સરળતાથી સમજાવતા જૂનાગઢના શિક્ષક

અમદાવાદઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત- વિજ્ઞાન જેવા કહેવાતા અઘરાં વિષયથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. તેવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે શાપુર પે. સેન્ટર શાળાના શિક્ષક કૃણાલકુમાર મારવણીયાએ તે સાબિત કરી બતાનવ્યું છે. તેઓ  વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન […]

દેશના આ ત્રણ રાજ્યોમાંથી નીકળ્યા સૌથી ઓછા ભણેલા લોકો,આ રાજ્ય બન્યું ટોપર

આઝાદી બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. શિક્ષણનું સ્તર પણ દર વર્ષે વધી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે જે મોટો તફાવત હતો તે પણ સમયની સાથે દૂર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક રાજ્યોમાં સાક્ષરતા દર સંતોષકારક નથી. સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશ બીજા સ્થાને છે, જ્યારે […]

અમદાવાદના ઉસ્માનપુરા કેન્દ્રમાં બે જૈનમુનિ આપી ધોરણ 10ની પરીક્ષા, બોર્ડ દ્વારા અલગ વ્યવસ્થા કરાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.  પરીક્ષાના પ્રથમ દિવસે  લાખો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે  પરીક્ષા આપી હતી. અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પર 2 જૈન મુનિ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. મુનિ તેમના પોશાકમાં જ ધોરણ 10ની પરીક્ષા આપવા આવ્યા હતા. બન્ને  મુનિઓએ પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા […]