1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.  ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની […]

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 39,979 બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાયો

ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત  બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ 2024-25  માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય […]

ધોરણ1થી 12માં શાળા છોડી દેનારા દોઢ લાખ વિદ્યાર્થીઓને ફરી ભણાવાશે, સરકાર દ્વારા સર્વે કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 1થી 12માં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. કોઈ કારણોસર બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવ્યા બાદ શાળા છોડી દેતા હોય છે. એક અંદાજ મુજબ રાજ્યમાં લગભગ દોઢ લાખ બાળકોએ શાળાઓમાં શિક્ષણ લેવાનું બંધ કર્યું છે. પરિવાર આર્થિક સ્થિતિ કે વાલીઓના સ્થળાંતરને લીધે પણ બાળકો શાળાઓ છોડવા મજબુર બન્યા હોય આવા બાળકોને શોધીને તેમને […]

સ્કૂલમાં જો તમારા બાળકને પરેશાન કરવામાં આવી રહી હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરવું, જાણો

પ્રોત્સાહિત કરો: તેમનો આત્મવિશ્વાસ વધારો. તેમની પ્રશંશા કરો અને તેમની શક્તિઓને યાદ કરાવો. વાત કરો: પહેલા તો તમારા બાળક સાથે બેસીને ખુલીને વાતચીત કરો. પુછો કે સ્કૂલમાં તેમનો દિવસ કેવો રહ્યો અને કોઈ હેરાન તો નથી કરતુ ને. સાથ આપો: બાળકને કહો કે તમે હંમેશા તેમની સાથે છો અને તે એકલા નથી. તેમને સમજાવો કે […]

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ વિશ્વ હોમિયોપેથી દિવસ પર હોમિયોપેથીક પરિસંવાદનું ઉદઘાટન કરશે

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર દ્વારકા, નવી દિલ્હીમાં બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનનું ઉદઘાટન કરશે, જેનું આયોજન વિશ્વ હોમિયોપેથી દિવસનાં પ્રસંગે આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત ટોચની સંશોધન સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ) દ્વારા કરવામાં આવ્યું હતું. સંમેલનનો વિષય “એમ્પાવરિંગ રિસર્ચ, એન્હાન્સિંગ પ્રોફિશિયન્સીઃ અ હોમિયોપેથિક સિમ્પોઝિયમ” હશે. આ સંમેલનનો […]

DNA કેવી રીતે ઉજાગર કરે છે પેઢીઓનું રહસ્ય, જાણો તેની પાછળનું વિજ્ઞાન

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ એ શરીરમાં હાજર એક અણુ છે. તે ચાર બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. આને એડેનાઇન, સાયટોસિન, ગુઆનાઇન અને થાઇમીન કહેવામાં આવે છે. • ડીએનએ પરીક્ષણ કેવી રીતે થાય છે? વ્યક્તિના મોંની લાળ, દાંત, માથાના વાળ, હાડકાં, નખ અને પેશાબ દ્વારા પણ ડીએનએ ટેસ્ટ કરી શકો છો. પરીક્ષણ કરવા માટે, પ્રથમ […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળું વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી,

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તા. 1લી મેથી 15મી જુન સુધી દોઢ મહિનાના ઉનાળું વેકેશન જાહેર કરાતા ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અધ્યાપકોએ એવી રજુઆત કરી છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ હોવાથી 7 મે, 2024 સુધી મોટાભાગના અધ્યાપકો વિવિધ પ્રકારની […]

ધો.9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓ ગાંડાંઓમાંથી શહેરી વિસ્તારની શાળાઓમાં ભણવા માટે આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ એસટી બસ કે અન્ય વાહનોમાં અપડાઉન કરતા હોય છે. વિદ્યાર્થીઓના રહેઠાણથી શાળા 5 કિલો મીટર કે તેનાથી દુર હોય તેવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પરિવહન યોજના અમલમાં મુકી છે. આ યોજના સરકારી અને […]

અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં કોપી કરતા 16 પરીક્ષાર્થીઓ CCTV કેમેરા મારફતે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. હવે ગેરરીતીના બનાવવો શોધવા માટે વર્ગખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં 16 જેટલા કોપી કેસ સામે આવ્યાં છે. જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓએ પણ બોર્ડની પરીક્ષા આપી હતી. દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર જેટલા કેદીઓ કોપી કરતા ઝડપાયાં […]

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા

ગાંધીનગર:  રાજ્યમાં આરટીઈ અંતર્ગત આર્થિકરીતે નબળા હોય એવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ખાનગી શાળાઓમાં વાલીઓએ કોઈ ફી ચુકવવી પડતી નથી, રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code