- અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે
- 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ
- ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ
દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન ‘ખોલા હવા’ (ઓપન એર) દ્વારા આપવામાં આવ્યું હતું અને તેની વિનંતી પર, શાહ આ કાર્યક્રમમાં ટાગોરના આદર્શો પર બોલવા માટે સંમત થયા હતા.
સાંસ્કૃતિક સંસ્થાના નિર્દેશક દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમિતજી ટાગોરની ફિલસૂફી અને આધ્યાત્મિકતાથી પ્રેરિત છે. તેઓ ગુરુદેવે આ દેશના લોકો પર વર્ષોથી જે અસર કરી છે તેના વિશે વાત કરશે.” સંગઠનના ઘણા સભ્યો ભાજપ સાથે જોડાયેલા છે.
ઉલ્લેખનીય છે કે,અમિત શાહ કાર્યક્રમ હેતુ અનેક રાજ્યોની મુલાકાત લેતા જ હોય છે.આ પહેલા ચુંટણી રાજ્ય કર્ણાટકની પણ મુલાકાત લીધી હતી.